ગીતશાસ્ત્ર ૧૦૬:૧-૪૮

  • ઇઝરાયેલીઓએ કદર કરી નહિ

    • તેઓ ઈશ્વરનાં કામો તરત ભૂલી ગયા (૧૩)

    • ઈશ્વરને બદલે વાછરડાની મૂર્તિને મહિમા (૧૯, ૨૦)

    • તેઓને ઈશ્વરના વચનમાં જરાય ભરોસો ન હતો (૨૪)

    • તેઓ બઆલની પૂજા કરવા લાગ્યા (૨૮)

    • દુષ્ટ દૂતોને બાળકોનાં બલિદાનો ચઢાવાયાં (૩૭)

૧૦૬  યાહનો જયજયકાર કરો!* યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+ તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+  ૨  યહોવાનાં બધાં પરાક્રમી કાર્યો કોણ જાહેર કરી શકે? તેમનાં બધાં પ્રશંસાપાત્ર કામો વિશે કોણ જણાવી શકે?+  ૩  એ લોકો સુખી છે, જેઓ ન્યાયથી વર્તે છેઅને હંમેશાં ખરું જ કરે છે.+  ૪  હે યહોવા, તમે પોતાના લોકો પર કૃપા કરો ત્યારે મને યાદ રાખજો.+ મારો ઉદ્ધાર કરજો અને મારી સંભાળ રાખજો,  ૫  જેથી તમારા પસંદ કરેલાઓને બતાવેલી ભલાઈનો આનંદ હું પણ માણી શકું.+ તમારી પ્રજા સાથે ખુશી મનાવી શકું,તમારા સેવકો* સાથે ગર્વથી તમારી સ્તુતિ કરી શકું.  ૬  અમારા બાપદાદાઓની જેમ અમે પણ પાપ કર્યાં છે.+ અમે ખરાબ કામો કર્યાં છે, દુષ્ટતા કરી છે.+  ૭  અમારા બાપદાદાઓએ ઇજિપ્તમાં તમારાં અદ્‍ભુત કામોની કદર કરી નહિ.* તમારો અતૂટ પ્રેમ તેઓ ભૂલી ગયા અને સમુદ્ર પાસે, હા, લાલ સમુદ્ર પાસે તેઓએ બળવો પોકાર્યો.+  ૮  તોપણ તેમણે પોતાના નામને લીધે તેઓને બચાવ્યા,+જેથી તેમનું સામર્થ્ય દેખાય.+  ૯  તેમણે લાલ સમુદ્રને ધમકાવ્યો અને એ સુકાઈ ગયો. તે તેઓને એના ઊંડાણમાં થઈને લઈ ગયા, જાણે તેઓ રણમાં* ચાલતા હોય.+ ૧૦  તેમણે તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા+અને વેરીઓના પંજામાંથી છોડાવ્યા.+ ૧૧  તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યુંઅને એકેય બચ્યો નહિ.+ ૧૨  પછી તેઓએ તેમના વચન પર ભરોસો મૂક્યો.+ તેઓ તેમની સ્તુતિનું ગીત ગાવા લાગ્યા.+ ૧૩  પણ તેઓ તરત તેમનાં કામો ભૂલી ગયા.+ તેઓએ તેમના માર્ગદર્શનની રાહ ન જોઈ. ૧૪  વેરાન પ્રદેશમાં તેઓ સ્વાર્થી ઇચ્છાઓને તાબે થયા.+ રણમાં તેઓએ ઈશ્વરની કસોટી કરી.+ ૧૫  તેમણે તેઓની માંગ પ્રમાણે આપ્યું. પણ પછી તેમણે એવી ખતરનાક બીમારી મોકલી, જેનાથી તેઓ કમજોર થઈને મરી ગયા.+ ૧૬  તેઓએ છાવણીમાં મૂસાની અદેખાઈ કરી,યહોવાના પવિત્ર સેવક+ હારુનની+ અદેખાઈ કરી. ૧૭  પછી પૃથ્વીએ મુખ ઉઘાડ્યું અને દાથાનને ગળી ગઈ,અબીરામ અને તેની સાથેના લોકોને ભરખી ગઈ.+ ૧૮  તેઓના ટોળા પર અગ્‍નિ ઊતરી આવ્યો,જ્વાળા એ દુષ્ટોને સ્વાહા કરી ગઈ.+ ૧૯  હોરેબમાં તેઓએ ધાતુમાંથી વાછરડાની મૂર્તિ* બનાવી અને એની આગળ નમન કર્યું.+ ૨૦  તેઓએ મને મહિમા આપવાને બદલે,ઘાસ ખાનાર વાછરડાની મૂર્તિને મહિમા આપ્યો.+ ૨૧  તેઓ પોતાને બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા,+જેમણે ઇજિપ્તમાં મોટાં મોટાં કામો કર્યાં હતાં.+ ૨૨  તેમણે હામના દેશમાં ચમત્કારો કર્યા હતા,+લાલ સમુદ્ર પાસે જોરદાર કામો કર્યાં હતાં.+ ૨૩  તે તેઓના સર્વનાશનો હુકમ આપવાની તૈયારીમાં હતા,પણ મૂસા વચમાં પડ્યો, જેને તેમણે પસંદ કર્યો હતો. તેમનો વિનાશક રોષ તેણે શાંત પાડ્યો.+ ૨૪  પછી પસંદ પડે એવો દેશ તેઓએ તુચ્છ ગણ્યો.+ તેઓને તેમના વચનમાં જરાય ભરોસો ન હતો.+ ૨૫  તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરતા રહ્યા.+ તેઓએ યહોવાની વાત જરાય માની નહિ.+ ૨૬  એટલે તેમણે હાથ ઊંચો કરીને તેઓ વિશે સોગંદ લીધા કે,તે તેઓને વેરાન પ્રદેશમાં મોતને હવાલે કરશે.+ ૨૭  તે તેઓના વંશજોને બીજી પ્રજાઓમાં મરણ પામવા દેશે,તે તેઓને બીજા દેશોમાં વેરવિખેર થઈ જવા દેશે.+ ૨૮  પછી તેઓ પેઓરના બઆલની* પૂજા કરવા લાગ્યા,+તેઓ ગુજરી ગયેલા લોકોને ચઢાવેલાં બલિદાનો* ખાવા લાગ્યા. ૨૯  તેઓએ એવાં કામો કર્યાં કે ઈશ્વરનો ક્રોધ ભભૂકી ઊઠ્યો.+ તેઓમાં રોગચાળો ફાટી નીકળ્યો.+ ૩૦  પણ ફીનહાસ આગળ આવ્યો અને વચમાં પડ્યો ત્યારે,એ રોગચાળો બંધ થયો.+ ૩૧  એના લીધે તે પેઢીઓની પેઢીઓ સુધી,હા, કાયમ માટે નેક ગણાયો.+ ૩૨  તેઓએ મરીબાહના* પાણી પાસે ઈશ્વરને ઉશ્કેર્યા. તેઓના લીધે મૂસા માટે મોટી મુસીબત ઊભી થઈ.+ ૩૩  તેઓના લીધે તેનું મન ખાટું થઈ ગયુંઅને તે વગર વિચાર્યું બોલ્યો.+ ૩૪  યહોવાએ તેઓને આજ્ઞા કરી હતી તેમ,+તેઓએ લોકોનો વિનાશ કર્યો નહિ.+ ૩૫  પણ તેઓ બીજી પ્રજાઓમાં ભળી ગયા+અને તેઓના રીતરિવાજો પાળવા લાગ્યા.+ ૩૬  તેઓની મૂર્તિઓને તેઓ પૂજવા લાગ્યા.+ એ તેઓ માટે ફાંદો બની ગઈ.+ ૩૭  તેઓ દુષ્ટ દૂતોને*પોતાનાં દીકરા-દીકરીઓનાં બલિદાનો ચઢાવવા લાગ્યા.+ ૩૮  તેઓએ નિર્દોષ લોહી,+હા, પોતાનાં દીકરા-દીકરીઓનું લોહી વહેવડાવ્યું,કનાનની મૂર્તિઓને તેઓનાં બલિદાનો ચઢાવ્યાં.+ તેઓએ લોહીથી આખો દેશ અશુદ્ધ કર્યો. ૩૯  તેઓ પોતાનાં કામોથી ભ્રષ્ટ થયા. તેઓ પોતાનાં કાર્યોથી ઈશ્વરને બેવફા બન્યા.*+ ૪૦  એટલે યહોવાનો ક્રોધ પોતાના લોકો પર સળગી ઊઠ્યો,તેમને તેઓથી* નફરત થઈ ગઈ. ૪૧  તેમણે તેઓને વારંવાર બીજી પ્રજાઓના હાથમાં સોંપી દીધા,+જેથી તેઓને ધિક્કારનારા તેઓ પર રાજ કરે.+ ૪૨  તેઓના દુશ્મનોએ ભારે જુલમ ગુજાર્યોઅને તેઓએ વેરીઓની સત્તાને તાબે થવું પડ્યું. ૪૩  તેમણે તેઓને કેટલી બધી વાર છોડાવ્યા!+ પણ તેઓ બંડ પોકારીને આજ્ઞા તોડતા+અને તેઓએ પોતાની ભૂલનાં પરિણામ ભોગવવાં પડતાં.+ ૪૪  પણ તે તેઓની વેદના જોતા+અને મદદ માટેનો તેઓનો પોકાર સાંભળતા.+ ૪૫  તેઓના લીધે તે પોતાનો કરાર યાદ કરતા,તેમને પોતાના પુષ્કળ પ્રેમને* લીધે તેઓ પર દયા આવતી.+ ૪૬  તેઓને ગુલામીમાં લઈ જનારાઓનાં+ દિલમાંતે હમદર્દી જગાડતા. ૪૭  હે યહોવા અમારા ઈશ્વર, અમને બચાવો.+ પ્રજાઓમાંથી અમને ભેગા કરો,+જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએઅને જોરશોરથી તમારી સ્તુતિ ગાઈએ.+ ૪૮  યુગોના યુગો સુધી,+ઇઝરાયેલના ઈશ્વર યહોવાના ગુણગાન ગાવામાં આવે. બધા લોકો કહે, “આમેન!”* યાહનો જયજયકાર કરો!*

ફૂટનોટ

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
મૂળ, “વારસા.”
અથવા, “અર્થ સમજ્યા નહિ.”
અથવા, “વેરાન પ્રદેશમાં.”
અથવા, “ઢાળેલી મૂર્તિ.”
એટલે કે, ક્યાં તો મરેલા લોકોને અથવા નિર્જીવ દેવોને ચઢાવેલાં બલિદાનો.
અર્થ, “ઝઘડો.”
અથવા, “તેઓએ બીજા દેવોને ભજીને જાણે વેશ્યાગીરી કરી.”
મૂળ, “વારસાથી.”
અથવા, “અતૂટ પ્રેમને.”
અથવા, “એમ થાઓ!”
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.