ગીતશાસ્ત્ર ૧૧:૧-૭

  • યહોવામાં આશરો લેવો

    • “યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે” ()

    • હિંસા ચાહનારને ઈશ્વર નફરત કરે છે ()

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત. ૧૧  મેં યહોવામાં આશરો લીધો છે.+ તો પછી તમે મને કેમ કહો છો કે,“પક્ષીની જેમ તારા પર્વત પર ઊડી જા!  ૨  જુઓ, દુષ્ટો ધનુષ્યની કમાન ખેંચે છે,તેઓ તીરથી નિશાન તાકે છે,જેથી તેઓ અંધકારમાં છુપાઈને નેક દિલ લોકો પર હુમલો કરે.  ૩  જો ઇન્સાફના પાયા જ તોડી પાડવામાં આવ્યા હોય,તો સાચા માર્ગે ચાલનાર શું કરી શકે?”  ૪  યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે.+ યહોવાની રાજગાદી સ્વર્ગમાં છે.+ તેમની આંખો બધું જુએ છે, તેમની તેજ* નજર માણસોના દીકરાઓની પરખ કરે છે.+  ૫  યહોવા નેક માણસની અને દુષ્ટ માણસની પરખ કરે છે.+ હિંસા ચાહનારને તે નફરત કરે છે.+  ૬  દુષ્ટો પર તે ફાંદાઓનો* વરસાદ વરસાવશે. આગ, ગંધક+ અને લૂ તેઓના પ્યાલાનો હિસ્સો બનશે.  ૭  યહોવા ન્યાયી છે.+ તેમને નેક કામો પસંદ છે.+ ખરાં દિલના લોકો તેમનું મુખ જોશે.*+

ફૂટનોટ

અથવા, “સાવધ.”
અથવા કદાચ, “ધગધગતા અંગારાનો.”
અથવા, “તેમની કૃપા અનુભવશે.”