ગીતશાસ્ત્ર ૧૪:૧-૭

  • મૂર્ખનું વર્ણન

    • “યહોવા છે જ નહિ” ()

    • “સારાં કામો કરનાર કોઈ જ નથી” ()

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત. ૧૪  મૂર્ખ પોતાના મનમાં વિચારે છે: “યહોવા છે જ નહિ.”+ એવા લોકોનાં કામો ખરાબ અને નીચ છે. સારાં કામો કરનાર કોઈ જ નથી.+  ૨  પણ યહોવા સ્વર્ગમાંથી નીચે મનુષ્યોને જુએ છે કેશું કોઈનામાં સમજણ છે, શું કોઈ યહોવાને ભજે છે.+  ૩  સાચા રસ્તેથી તેઓ બધા ભટકી ગયા છે.+ તેઓ એકસરખા છે, બધા જ ભ્રષ્ટ છે. સારાં કામો કરનાર કોઈ જ નથી,અરે, એક પણ નથી.  ૪  શું એક પણ ગુનેગારમાં અક્કલ નથી? તેઓ રોટલી ખાતા હોય એમ મારા લોકોનો કોળિયો કરી જાય છે. તેઓ યહોવાને પોકારતા નથી.  ૫  ભારે આતંક તેઓ પર છવાઈ જશે,+કેમ કે યહોવા નેક લોકોની પેઢી સાથે છે.  ૬  ઓ ગુનેગારો, તમે નિરાધારની યોજનાઓ પર પાણી ફેરવી દો છો. પણ યહોવા તેનો આશરો છે.+  ૭  ઇઝરાયેલનો ઉદ્ધાર સિયોનમાંથી આવે તો કેવું સારું!+ યહોવા ગુલામીમાં ગયેલા લોકોને પાછા લાવે ત્યારે,યાકૂબ ખુશી મનાવે અને ઇઝરાયેલ આનંદ કરે.

ફૂટનોટ