ગીતશાસ્ત્ર ૫૩:૧-૬

  • મૂર્ખોનું વર્ણન

    • “યહોવા છે જ નહિ” ()

    • “સારાં કામો કરનાર કોઈ જ નથી” ()

સંગીત સંચાલક માટે સૂચન. માહલાથના* રાગ પ્રમાણે ગાવું. માસ્કીલ.* દાઉદનું ગીત. ૫૩  મૂર્ખ પોતાના મનમાં વિચારે છે: “યહોવા છે જ નહિ.”+ એવા લોકોનાં કામો દુષ્ટ, ખરાબ અને નીચ છે. સારાં કામો કરનાર કોઈ જ નથી.+  ૨  પણ ઈશ્વર સ્વર્ગમાંથી નીચે મનુષ્યોને જુએ છે કે+શું કોઈનામાં સમજણ છે, શું કોઈ યહોવાને ભજે છે.+  ૩  સાચા રસ્તેથી તેઓ બધા ભટકી ગયા છે. તેઓ એકસરખા છે, બધા જ ભ્રષ્ટ છે. સારાં કામો કરનાર કોઈ જ નથી,અરે, એક પણ નથી.+  ૪  શું એક પણ ગુનેગારમાં અક્કલ નથી? તેઓ રોટલી ખાતા હોય એમ મારા લોકોનો કોળિયો કરી જાય છે. તેઓ યહોવાને પોકારતા નથી.+  ૫  અગાઉ તેઓએ કદી અનુભવ કર્યો ન હોય,એવો ભારે આતંક તેઓ પર છવાઈ જશે.* તમારા પર હુમલો કરનારાઓનાં હાડકાં ઈશ્વર વિખેરી નાખશે. તમે તેઓને શરમમાં નાખશો, કેમ કે યહોવાએ તેઓનો ત્યાગ કર્યો છે.  ૬  ઇઝરાયેલનો ઉદ્ધાર સિયોનમાંથી આવે તો કેવું સારું!+ યહોવા ગુલામીમાં ગયેલા લોકોને પાછા લાવે ત્યારે,યાકૂબ ખુશી મનાવે અને ઇઝરાયેલ આનંદ કરે.

ફૂટનોટ

અથવા કદાચ, “જ્યાં ભય ન હોય ત્યાં તેઓ ઘણા ભયભીત થશે.”