ભાગ ૧
ભગવાનનું સાંભળવા શું કરવું જોઈએ?
બાઇબલ વડે ભગવાન આપણી સાથે વાત કરે છે. ૨ તિમોથી ૩:૧૬
ભગવાને પોતાના વિચારો અમુક ભક્તોને લખવા કીધું. એ વિચારો પવિત્ર બાઇબલમાં છે. એમાં તમારા માટે જરૂરી સંદેશો છે. ભગવાન ચાહે છે કે તમે એ જાણો.
ભગવાન કાયમ આપણું ભલું ચાહે છે. તેમનું સાંભળીને આપણે સાચે જ સમજુ બનીશું.—નીતિવચનો ૧:૫.
ધરતી પર દરેક જણ બાઇબલ વાંચે, એવું ભગવાન ચાહે છે. આજે બાઇબલ ઘણી બધી ભાષાઓમાં છે.
ભગવાનનો સંદેશો જાણવો હોય તો, બાઇબલ વાંચો અને સમજો.
માથ્થી ૨૮:૧૯
આખી દુનિયામાં લોકો ભગવાનનો સંદેશો સાંભળે છે.યહોવાના સાક્ષીઓ તમને બાઇબલનો સંદેશો સમજવા મદદ કરશે.
તેઓ આખી દુનિયામાં લોકોને સાચા ભગવાન વિષે શીખવે છે.
એ શીખવા તમારે પૈસા આપવા નહિ પડે. ભગવાન વિષે શીખવા તમે યહોવાના સાક્ષીઓની સભાઓમાં પણ જઈ શકો.