ભાગ ૧૧
શું યહોવા આપણું સાંભળે છે?
ભગવાન આપણી પ્રાર્થના જરૂર સાંભળે છે. ૧ પિતર ૩:૧૨
યહોવા “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) તે ચાહે છે કે આપણે તેમની સાથે દિલ ખોલીને વાત કરીએ.
આપણે યહોવાને જ પ્રાર્થના કરીએ, બીજા કોઈને નહિ.
૧ યોહાન ૫:૧૪
તમે પ્રાર્થનામાં યહોવાને કંઈ પણ જણાવી શકો.પ્રાર્થના કરો કે સ્વર્ગની જેમ ધરતી પર યહોવાની મરજી પૂરી થાય.
જે ખરું છે, એ કરવા યહોવાની મદદ માગો. રોટી, કપડાં, મકાન અને નોકરી માટે, તેમ જ સારી તબિયત માટે પણ અરજ કરી શકો.
ઈસુએ જે કંઈ કર્યું છે, એની કદર બતાવવા તેમના નામે યહોવાને પ્રાર્થના કરો.