સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ સવાલોના જવાબો

બાઇબલ સવાલોના જવાબો

આ દુનિયા પર ખરેખર કોણ રાજ કરે છે?

જો ઈશ્વર આ દુનિયા પર રાજ કરતા હોત, તો આટલું બધું દુઃખ હોત?

ઘણા લોકો માને છે કે આ દુનિયા પર ઈશ્વર રાજ કરે છે. પણ, જો એ સાચું હોય, તો આજે આટલી બધી દુઃખ-તકલીફ કેમ છે? (પુનર્નિયમ ૩૨:૪, ૫) બાઇબલ જણાવે છે કે આ દુનિયા કોઈ દુષ્ટના હાથમાં છે.—૧ યોહાન ૫:૧૯ વાંચો.

પણ, એ દુષ્ટને માણસજાત પર સત્તા કઈ રીતે મળી? મનુષ્યની શરૂઆતમાં એક દૂત ઈશ્વરની સામે થયો અને તેણે પ્રથમ યુગલને પણ એમ કરવા ઉશ્કેર્યા. (ઉત્પત્તિ ૩:૧-૬) એ યુગલે દુષ્ટ દૂત, શેતાનનું કહેવું માનીને તેને પોતાનો શાસક બનાવ્યો. દુનિયા પર રાજ કરવાનો હક્ક સર્વશક્તિમાન ઈશ્વરનો છે. તે ચાહે છે કે લોકો તેમના રાજ કરવાના હક્કને પ્રેમથી સ્વીકારે. (પુનર્નિયમ ૬:૬; ૩૦:૧૬, ૧૯) દુઃખની વાત છે કે પ્રથમ યુગલની જેમ ખરાબ નિર્ણય કરવા મોટા ભાગના લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.—પ્રકટીકરણ ૧૨:૯ વાંચો.

માણસજાતની મુશ્કેલીઓ કોણ દૂર કરશે?

શું શેતાનને ઈશ્વર કાયમ રાજ કરવા દેશે? ના. શેતાને કરેલી દુષ્ટતાને ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર દૂર કરશે.—૧ યોહાન ૩:૮ વાંચો.

ઈસુ, યહોવા ઈશ્વરની શક્તિથી શેતાનનો નાશ કરશે. (રોમનો ૧૬:૨૦) પછી, ઈશ્વર માણસો પર રાજ કરશે અને તેઓને સુખ-શાંતિવાળું જીવન આપીને પોતાનો મકસદ પૂરો કરશે.—પ્રકટીકરણ ૨૧:૩-૫ વાંચો. (w14-E 05/01)