બાઇબલ સવાલોના જવાબો
આપણે કેમ ઈસુનું મરણ યાદ કરવું જોઈએ?
ઈસુનું મરણ ઇતિહાસમાં સૌથી મહત્ત્વનો બનાવ હતો. આખી માણસજાતને ખરેખરું જીવન મળે એ માટે તે મરણ પામ્યા. માણસને એ રીતે બનાવ્યો ન હતો કે તે ખરાબ કામ કરે, બીમાર પડે અથવા મરણ પામે. (ઉત્પત્તિ ૧:૩૧) પરંતુ પહેલા માણસ, આદમ દ્વારા આખી દુનિયામાં પાપ આવ્યું. આપણને પાપ અને મરણમાંથી બચાવવા ઈસુએ પોતાનું જીવન આપ્યું.—માથ્થી ૨૦:૨૮; રોમનો ૬:૨૩ વાંચો.
ઈશ્વરે પોતાના એકનાએક દીકરાને પૃથ્વી પર મોકલીને માણસો માટે અપાર પ્રેમ બતાવ્યો. (૧ યોહાન ૪:૯, ૧૦) ઈસુએ શિષ્યોને રોટલી અને દ્રાક્ષારસ દ્વારા તેમના મરણને યાદ કરવાનું કહ્યું. ઈશ્વર અને ઈસુએ આપણા પર જે પ્રેમ બતાવ્યો એની કદર કરવાની એક રીત છે કે, દર વર્ષે આ પ્રસંગમાં હાજરી આપીએ.—લુક ૨૨:૧૯, ૨૦ વાંચો.
રોટલી ખાવામાં અને દ્રાક્ષારસ પીવામાં કોણ ભાગ લઈ શકે?
પહેલી વાર ઈસુએ શિષ્યોને પોતાના મરણને યાદ કરવા કહ્યું ત્યારે, તેમની સાથે એક કરાર કર્યો હતો. (માથ્થી ૨૬:૨૬-૨૮) એનાથી શિષ્યો અને બીજા અમુક લોકો માટે સ્વર્ગમાં રાજાઓ અને યાજકો બનવાનો માર્ગ ખુલ્યો. લાખો લોકો ઈસુના મરણને યાદ કરે છે. પણ જેઓને સ્વર્ગની આશા છે, તેઓ જ રોટલી ખાવામાં અને દ્રાક્ષારસ પીવામાં ભાગ લઈ શકે.—પ્રકટીકરણ ૫:૧૦ વાંચો.
લગભગ ૨,૦૦૦ વર્ષથી રાજાઓની પસંદગી યહોવા કરી રહ્યા છે. (લુક ૧૨:૩૨) પૃથ્વી પર જીવવાની આશા છે તેઓની સરખામણીમાં સ્વર્ગની આશા ધરાવતા લોકો બહુ ઓછા છે.—પ્રકટીકરણ ૭:૪, ૯, ૧૭ વાંચો. (w૧૫-E ૦૩/૦૧)