સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરે આપ્યું વચન, થશે સ્વસ્થ મન

ઈશ્વરે આપ્યું વચન, થશે સ્વસ્થ મન

ઈશ્વર બાઇબલ દ્વારા એવા લોકોને સલાહ અને દિલાસો આપે છે, જેઓ અલગ અલગ માનસિક બીમારીઓ સામે લડી રહ્યા છે.

એટલું જ નહિ તેમણે વચન આપ્યું છે કે જે કારણોને લીધે માનસિક બીમારીઓ થાય છે, એવાં બધાં જ કારણોને તે હંમેશ માટે મિટાવી દેશે.

ઈશ્વર જ્યારે પોતાનું એ વચન પૂરું કરશે ત્યારે ડર, ચિંતા કે નિરાશાની લાગણીઓ આપણને ફરી ક્યારેય હેરાન નહિ કરે. ‘અગાઉના ખરાબ બનાવો યાદ પણ નહિ આવે, અરે! એ કોઈના મનમાં પણ નહિ આવે.’—યશાયા ૬૫:૧૭.

ઈશ્વર પોતાનું એ વચન ક્યારે અને કઈ રીતે પૂરું કરશે? જો તમે એ વિશે જાણવા માંગતા હો, તો યહોવાના સાક્ષીઓ તમને મદદ કરવા હંમેશાં તૈયાર છે.