સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આજ્ઞા પાળવી

આજ્ઞા પાળવી

આજ્ઞા પાળવી કેમ જરૂરી છે?

નિર્ગ ૧૯:૫; પુન ૧૦:૧૨, ૧૩; સભા ૧૨:૧૩; યાકૂ ૧:૨૨

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૧૫:૧૭-૨૩—શાઉલ રાજા યહોવાની આજ્ઞા પાળતા નથી. શમુએલ તેમને ઠપકો આપે છે અને કહે છે કે આજ્ઞા પાળવી વધારે જરૂરી છે

    • હિબ્રૂ ૫:૭-૧૦—ઈસુ હંમેશાં પોતાના પિતાની આજ્ઞા પાળતા હતા. જોકે તે પૃથ્વી પર આવ્યા ત્યારે અઘરા સંજોગોમાં પણ આજ્ઞા પાળવાનું શીખ્યા

અધિકારીઓ આપણને ઈશ્વરની આજ્ઞા તોડવાનું કહે ત્યારે શું કરવું જોઈએ?

પ્રેકા ૫:૨૯

  • એને લગતા અહેવાલ:

    • દા ૩:૧૩-૧૮—જીવનું જોખમ હોવા છતાં ત્રણ હિબ્રૂ યુવાનો નબૂખાદનેસ્સાર રાજાએ ઊભી કરેલી મૂર્તિ આગળ નમતા નથી

    • માથ ૨૨:૧૫-૨૨—ઈસુ સમજાવે છે કે તેમના શિષ્યો અધિકારીઓની વાત માનશે. પણ જો અધિકારીઓ ઈશ્વરની આજ્ઞા તોડવાનું કહે તો શિષ્યો એ વાત નહિ માને

    • પ્રેકા ૪:૧૮-૩૧—અધિકારીઓ પ્રેરિતોને પ્રચાર બંધ કરી દેવાનો હુકમ કરે છે, પણ પ્રેરિતો હિંમતથી પ્રચાર કરતા રહે છે

યહોવાની આજ્ઞા પાળતા રહેવા શું કરવું જોઈએ?

પુન ૬:૧-૫; ગી ૧૧૨:૧; ૧યો ૫:૨, ૩

આ પણ જુઓ: ગી ૧૧૯:૧૧, ૧૧૨; રોમ ૬:૧૭

  • એને લગતા અહેવાલ:

    • એઝ ૭:૭-૧૦—વફાદાર યાજક એઝરા પોતાનું દિલ તૈયાર કરે છે, જેથી યહોવાના નિયમો પાળવામાં સારો દાખલો બેસાડી શકે અને બીજાઓને એ વિશે શીખવી શકે

    • યોહ ૧૪:૩૧—ઈસુ જણાવે છે કે તે કેમ પોતાના પિતાની આજ્ઞા પ્રમાણે જ કરે છે

યહોવા અને ઈસુની આજ્ઞા પાળવા આપણને કઈ વાતથી ઉત્તેજન મળે છે?

આજ્ઞા પાળવાથી કઈ રીતે આપણી શ્રદ્ધા દેખાઈ આવે છે?

રોમ ૧:૫; ૧૦:૧૬, ૧૭; યાકૂ ૨:૨૦-૨૩

આ પણ જુઓ: પુન ૯:૨૩

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૬:૯-૨૨; હિબ્રૂ ૧૧:૭—નૂહ યહોવાના કહેવા પ્રમાણે જ વહાણ બનાવે છે. આ રીતે તે પોતાની શ્રદ્ધા બતાવી આપે છે

    • હિબ્રૂ ૧૧:૮, ૯, ૧૭—ઇબ્રાહિમને યહોવામાં શ્રદ્ધા હતી એટલે તે ઉર શહેર છોડે છે. અરે, તે પોતાના દીકરાનું બલિદાન આપવા પણ તૈયાર થઈ જાય છે

આજ્ઞા પાળનારાઓને યહોવા કેવા આશીર્વાદો આપે છે?

યર્મિ ૭:૨૩; માથ ૭:૨૧; ૧યો ૩:૨૨

  • એને લગતા અહેવાલ:

    • લેવી ૨૬:૩-૬—યહોવા વચન આપે છે કે જેઓ તેમની આજ્ઞા પાળશે તેઓને તે આશીર્વાદ આપશે અને તેઓની સંભાળ રાખશે

    • ગણ ૧૩:૩૦, ૩૧; ૧૪:૨૨-૨૪—કાલેબ યહોવાની આજ્ઞા પાળે છે, એટલે યહોવા તેમને આશીર્વાદ આપે છે

આજ્ઞા નહિ પાળીએ તો શું થશે?

રોમ ૫:૧૯; ૨થે ૧:૮, ૯

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૨:૧૬, ૧૭; ૩:૧૭-૧૯—આદમ અને હવા યહોવાની આજ્ઞા પાળતા નથી. એટલે તેઓએ એદન બાગ છોડવો પડે છે, તેઓ પાપના ગુલામ બની જાય છે અને હંમેશ માટેનું જીવન ગુમાવી દે છે

    • પુન ૧૮:૧૮, ૧૯; પ્રેકા ૩:૧૨, ૧૮, ૨૨, ૨૩—યહોવા ભવિષ્યવાણી કરે છે કે મૂસા કરતાં પણ મોટા પ્રબોધક ઊભા થશે અને જેઓ એ પ્રબોધકની આજ્ઞા નહિ પાળે તેઓને સજા થશે

    • યહૂ ૬, ૭—અમુક દૂતો તેમજ સદોમ અને ગમોરાહના લોકો યહોવાની આજ્ઞા પાળતા નથી, એટલે તેઓ પર યહોવાનો ક્રોધ સળગી ઊઠે છે

આપણે કેમ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા પાળવી જોઈએ?

ઉત ૪૯:૧૦; માથ ૨૮:૧૮

  • એને લગતા અહેવાલ:

આપણે કેમ મંડળમાં આગેવાની લેતા ભાઈઓની વાત માનીએ છીએ?

પત્નીએ કેમ પોતાના પતિને આધીન રહેવું જોઈએ?

બાળકોએ કેમ માતા-પિતાનું કહેવું માનવું જોઈએ?

ની ૨૩:૨૨; એફે ૬:૧; કોલ ૩:૨૦

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩૭:૩, ૪, ૮, ૧૧-૧૩, ૧૮—યુવાન યૂસફ જાણે છે કે તેમના ભાઈઓ તેમને નફરત કરે છે, તોપણ તે પિતાનું માનીને ભાઈઓ પાસે જાય છે

    • લૂક ૨:૫૧—ઈસુમાં તન-મનની કોઈ ખામી ન હતી, જ્યારે કે તેમનાં માતા-પિતા યૂસફ અને મરિયમ ભૂલભરેલાં હતાં. તોપણ ઈસુ તેઓને આધીન રહે છે

કામની જગ્યાએ કોઈ આપણને જોતું ન હોય તોપણ કેમ માલિકની આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ?

ખ્રિસ્તીઓ કેમ સરકારોને આધીન રહે છે?