સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુંવારા રહેવું

કુંવારા રહેવું

કુંવારા રહેવું કેમ ઈશ્વર તરફથી આશીર્વાદ છે?

કુંવારા ભાઈ કે બહેનને લગ્‍ન માટે દબાણ કરવું કેમ ખોટું છે?

૧કો ૭:૨૮, ૩૨-૩૫; ૧થે ૪:૧૧

  • એને લગતા અહેવાલ:

    • રોમ ૧૪:૧૦-૧૨—પ્રેરિત પાઉલ સમજાવે છે કે આપણે કેમ કોઈ ઈશ્વરભક્તનો ન્યાય ન કરવો જોઈએ

    • ૧કો ૯:૩-૫—પાઉલને લગ્‍ન કરવાની છૂટ છે, પણ એકલા રહીને તે યહોવાની ભક્તિમાં વધારે કરી શકે છે

શું કુંવારી વ્યક્તિએ એવું વિચારવું જોઈએ કે લગ્‍ન કરવાથી જ ખુશ રહી શકાય?

૧કો ૭:૮

  • એને લગતા અહેવાલ:

    • ન્યા ૧૧:૩૦-૪૦—યિફતાની દીકરી કુંવારી રહે છે, એટલે તે આખું જીવન મંડપમાં સેવા આપી શકે છે

    • પ્રેકા ૨૦:૩૫—ઈસુના શબ્દોથી ખબર પડે છે કે ભલે તેમણે લગ્‍ન કર્યું ન હતું તોપણ તે ખુશ હતા, કેમ કે તેમણે બીજાઓ માટે ઘણું કર્યું હતું

    • ૧થે ૧:૨-૯; ૨:૧૨—પ્રેરિત પાઉલ, જેમણે લગ્‍ન કર્યું ન હતું, તે જણાવે છે કે ઘણા લોકોને યહોવા વિશે શીખવીને તેમને ઘણી ખુશી મળી હતી

બધા ઈશ્વરભક્તોની જેમ કુંવારા લોકોએ પણ કેમ પોતાનું ચારિત્ર શુદ્ધ રાખવું જોઈએ?

૧કો ૬:૧૮; ગલા ૫:૧૯-૨૧; એફે ૫:૩, ૪

  • એને લગતા અહેવાલ:

    • ની ૭:૭-૨૩—સુલેમાન રાજા જણાવે છે કે એક યુવાને ખરાબ પરિણામ ભોગવવાં પડે છે, કેમ કે તે વ્યભિચારી સ્ત્રીની વાતોમાં આવી જાય છે

    • ગીગી ૪:૧૨; ૮:૮-૧૦—શૂલ્લામી છોકરીના શુદ્ધ ચારિત્રને લીધે તેના વખાણ કરવામાં આવે છે

કુંવારી વ્યક્તિ લગ્‍ન વિશે ક્યારે વિચારી શકે?