સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દયા

દયા

દયા બતાવવામાં શાનો સમાવેશ થાય છે?

  • એને લગતા અહેવાલ:

    • ગી ૫૧:૧, ૨—દાઉદ રાજા યહોવા પાસે દયાની ભીખ માંગે છે. તેમના કહેવાનો અર્થ હતો કે યહોવા તેમને માફ કરે અને તેમનાં પાપથી તેમને શુદ્ધ કરે

    • લૂક ૧૦:૨૯-૩૭—આપણે કઈ રીતે દયા બતાવવી જોઈએ એ શીખવવા ઈસુ ભલા સમરૂનીનું ઉદાહરણ આપે છે. એ સમરૂની એક યહૂદીને મદદ કરે છે અને તેની સંભાળ રાખે છે

શા માટે બધા માણસોને દયાની જરૂર છે?

આપણે કઈ રીતે જાણીએ છીએ કે યહોવા દયાળુ છે?

નિર્ગ ૩૪:૬; નહે ૯:૧૭; ગી ૧૦૩:૮; ૨કો ૧:૩

  • એને લગતા અહેવાલ:

    • અયૂ ૪૨:૧, ૨, ૬-૧૦; યાકૂ ૫:૧૧—યહોવા અયૂબને દયા બતાવે છે. તે અયૂબને દયા બતાવવાનું શીખવે પણ છે

    • લૂક ૧૫:૧૧-૩૨—યહોવા કેટલા દયાળુ છે એ સમજાવવા ઈસુ એક પિતાનું ઉદાહરણ આપે છે. તે જણાવે છે કે ખોવાયેલો દીકરો પસ્તાવો કરે છે ત્યારે પિતા તેની સાથે કઈ રીતે વર્તે છે

યહોવા કેમ આપણને દયા બતાવે છે?

પાપોની માફી મેળવવા ઈસુ ખ્રિસ્તનું બલિદાન કેમ સૌથી મહત્ત્વનું છે?

આપણે કેમ યહોવાને દયા માટે વિનંતી કરવી જોઈએ? આપણને દયા બતાવવામાં આવે ત્યારે કેમ એની કદર કરતા રહેવું જોઈએ?

લૂક ૧૧:૨-૪; હિબ્રૂ ૪:૧૬

  • એને લગતા અહેવાલ:

    • ગી ૫૧:૧-૪—દાઉદ રાજાને પોતાની ભૂલ માટે પસ્તાવો છે, એટલે તે નમ્ર બનીને યહોવા પાસે દયાની ભીખ માંગે છે

    • લૂક ૧૮:૯-૧૪—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે જેઓ નમ્ર છે અને પોતાની ભૂલ સ્વીકારે છે, તેઓ પર યહોવા દયા કરે છે

જેઓએ ગંભીર પાપ કર્યાં છે તેઓ દયા મેળવવા શું કરી શકે?

પુન ૪:૨૯-૩૧; યશા ૫૫:૭

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૩૩:૯-૧૩, ૧૫—મનાશ્શા રાજા બહુ ખરાબ હતા. પણ પછી તે પસ્તાવો કરે છે અને ઈશ્વર પાસે દયાની ભીખ માંગે છે. તેમને ફરીથી રાજા બનાવવામાં આવે છે અને તેમનાં કામોથી દેખાઈ આવે છે કે તે સાચે બદલાઈ ગયા છે

    • યૂના ૩:૪-૧૦—નિનવેહના લોકો બહુ હિંસક હતા અને તેઓના હાથ લોહીથી રંગાયેલા હતા. પણ તેઓ પસ્તાવો કરે છે ત્યારે ઈશ્વર તેઓને દયા બતાવે છે

યહોવા પાસેથી દયા મેળવવા પાપ કબૂલ કરવાં અને જીવનમાં ફેરફાર કરવા કેમ જરૂરી છે?

યહોવા દયા જરૂર બતાવશે, પણ તે આપણી ભૂલોનાં પરિણામથી આપણને નહિ બચાવે

આપણે કેમ બીજાઓને દયા બતાવવી જોઈએ?

જો બીજાઓને દયા નહિ બતાવીએ તો એનાથી યહોવા સાથેના આપણા સંબંધ પર કેવી અસર પડશે?

માથ ૯:૧૩; ૨૩:૨૩; યાકૂ ૨:૧૩

આ પણ જુઓ: ની ૨૧:૧૩

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૮:૨૩-૩૫—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે જો આપણે બીજાઓને દયા નહિ બતાવીએ, તો યહોવા પણ આપણને દયા નહિ બતાવે

    • લૂક ૧૦:૨૯-૩૭—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે તે અને યહોવા ભલા સમરૂની જેવા દયાળુ લોકોથી ખુશ થાય છે, પણ દયા ન બતાવનારા લોકો તેઓને ગમતા નથી

યહોવા દયાળુ લોકો સાથે કઈ રીતે વર્તે છે?