સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાપ

પાપ

ભૂલો

પાપ એટલે શું અને આપણે બધા કેમ પાપી ગણાઈએ છીએ?

બાઇબલમાંથી કઈ રીતે ખાતરી મળે છે કે પાપ તરફ દોરી જતી ખોટી ઇચ્છા સામે આપણે લડી શકીએ છીએ?

રોમ ૬:૧૨-૧૪

  • એને લગતા અહેવાલ:

    • ૨શ ૧૧:૨-૫, ૧૪, ૧૫, ૨૬, ૨૭; ૧૨:૧-૧૩—દાઉદ રાજા મોટાં પાપ કરે છે ત્યારે તેમને કડક ઠપકો આપવામાં આવે છે અને તે પસ્તાવો કરે છે

    • રોમ ૭:૧૫-૨૪—પાઉલે ઈશ્વરભક્તિમાં અને શ્રદ્ધા બતાવવામાં જોરદાર દાખલો બેસાડ્યો હતો, તોપણ તેમણે ઘણી વાર પાપી ઇચ્છાઓ અને ખોટા વિચારો સામે લડવું પડ્યું

ઘણા લોકો કઈ રીતે અજાણતાં કે બીજાઓની વાતોમાં આવીને પાપ કરી બેસે છે?

જાણીજોઈને પાપ કરતા રહેવું કેમ ગંભીર છે?

શેતાન કઈ રીતે ઈશ્વરભક્તોને પાપ કરવા લલચાવે છે?

ની ૧:૧૦, ૧૧, ૧૫; માથ ૫:૨૮; યાકૂ ૧:૧૪, ૧૫

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩:૧-૬—શેતાન એક સાપ દ્વારા હવાને સ્વાર્થી ઇચ્છા પૂરી કરવા લલચાવે છે. આમ, હવા યહોવા પર શંકા કરવા લાગે છે

    • ની ૭:૬-૧૦, ૨૧-૨૩—સુલેમાન રાજા એવા ભોળા યુવાન વિશે જણાવે છે, જે વેશ્યાની વાતોમાં આવી જાય છે

આપણે કઈ રીતે શેતાનના ફાંદાઓથી બચી શકીએ?

એફે ૪:૨૭; ૬:૧૦-૧૮; યાકૂ ૪:૭, ૮

  • એને લગતા અહેવાલ:

    • ની ૫:૧-૧૪—જેમ પિતા પોતાના દીકરાને સલાહ આપે છે, તેમ સુલેમાન યહોવા તરફથી આપણને સલાહ આપે છે કે શા માટે અને કઈ રીતે વ્યભિચારથી દૂર રહેવું જોઈએ

    • માથ ૪:૧-૧૧—ઈસુ શાસ્ત્રની મદદથી શેતાનની લાલચોનો સામનો કરે છે

કયાં અમુક ગંભીર પાપથી ખ્રિસ્તીઓએ દૂર રહેવું જોઈએ?

આ જુઓ: “ખરાબ કામો

પાપની કબૂલાત

આપણે કેમ પાપ છુપાવવાં ન જોઈએ?

આપણે કોની આગળ પાપ કબૂલ કરવાં જોઈએ?

યહોવા પાસેથી પાપોની માફી મેળવી શકીએ એ માટે કોણ આપણા “સહાયક” છે?

વ્યક્તિ કઈ રીતે બતાવી શકે કે તેણે દિલથી પસ્તાવો કર્યો છે?

પ્રેકા ૨૬:૨૦; યાકૂ ૪:૮-૧૦

આ પણ જુઓ: “પસ્તાવો

  • એને લગતા અહેવાલ:

    • નિર્ગ ૨૨:૧-૧૨—મૂસાના નિયમશાસ્ત્રમાં નિયમ હતો કે ચોર જેની વસ્તુઓ ચોરે, તેને નુકસાની ભરી આપે

    • લૂક ૧૯:૮, ૯—મુખ્ય કર ઉઘરાવનાર જાખ્ખી પસ્તાવો કરે છે. તે પોતાની ભૂલ સુધારે છે અને ખોટી રીતે પડાવી લીધેલા પૈસા લોકોને પાછા આપે છે

કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા આપણને માફ કરશે?

આ જુઓ: “માફી

યહોવાએ મંડળનું રક્ષણ કરવાની અને ગંભીર પાપ કરનારને મદદ કરવાની જવાબદારી કોને સોંપી છે?

કોઈ ગંભીર પાપ કરે ત્યારે તેના કુટુંબ પર અને મંડળ પર કેવી અસર પડે છે?

હિબ્રૂ ૧૨:૧૫, ૧૬

આ પણ જુઓ: પુન ૨૯:૧૮

  • એને લગતા અહેવાલ:

    • યહો ૭:૧-૧૩, ૨૦-૨૬—આખાન ગંભીર પાપ કરે છે અને એને છુપાવવાનો પ્રયત્ન કરે છે. એના લીધે બધા ઇઝરાયેલીઓએ મુશ્કેલીઓ વેઠવી પડે છે

    • યૂના ૧:૧-૧૬—યૂના યહોવાનું કહ્યું માનતા નથી, એટલે વહાણના બધા લોકોનું જીવન જોખમમાં મુકાય છે

    • ૧કો ૫:૧-૭—પ્રેરિત પાઉલ કોરીંથ મંડળમાં એક વ્યક્તિનું ગંભીર પાપ ખુલ્લું પાડે છે, જેની અસર આખા મંડળ પર થઈ રહી હતી

શિસ્ત મળશે એ ડરથી કેમ વડીલોની મદદ લેતા અચકાવું ન જોઈએ?

અગાઉ કરેલી ભૂલ વિશે વિચારીને દુઃખી થવાને બદલે, કેમ ભરોસો રાખવો જોઈએ કે યહોવાએ આપણને માફ કરી દીધા છે?

આ જુઓ: “માફી

જો ખબર પડે કે કોઈએ ગંભીર પાપ કર્યું છે, તો આપણે કેમ ખાતરી કરવી જોઈએ કે તે વડીલોને એ વિશે જણાવે?

લેવી ૫:૧

  • એને લગતા અહેવાલ:

    • પુન ૧૩:૬-૯; ૨૧:૧૮-૨૦—મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે એક ઇઝરાયેલીએ પોતાના કુટુંબીજનના અથવા મિત્રના ગંભીર પાપ વિશે વડીલોને જણાવવાનું હતું