સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બુદ્ધિ

બુદ્ધિ

ડહાપણ

સાચી બુદ્ધિ મેળવવા શું જરૂરી છે?

સાચી બુદ્ધિ ક્યાંથી મેળવી શકીએ?

શું બુદ્ધિ મેળવવા પ્રાર્થના કરવી યોગ્ય છે?

કોલ ૧:૯; યાકૂ ૧:૫

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૧:૮-૧૨—યુવાન સુલેમાન યહોવા પાસે બુદ્ધિ માંગે છે, જેથી તે સારી રીતે રાજ કરી શકે. યહોવા તેમનાથી ખુશ થાય છે અને તેમની ઇચ્છા પૂરી કરે છે

    • ની ૨:૧-૫—બુદ્ધિ, સમજણ અને પારખશક્તિ દાટેલા ખજાના જેવી છે. એને મેળવવા મહેનત કરીશું તો યહોવા જરૂર આપણી મદદ કરશે

યહોવા કઈ રીતે આપણને બુદ્ધિ આપે છે?

યશા ૧૧:૨; ૧કો ૧:૨૪, ૩૦; ૨:૧૩; એફે ૧:૧૭; કોલ ૨:૨, ૩

  • એને લગતા અહેવાલ:

    • ની ૮:૧-૩, ૨૨-૩૧—અહીં બુદ્ધિને એક વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવી છે. એ ઈસુ ખ્રિસ્તને લાગુ પડે છે, જેમને સૌથી પહેલા બનાવવામાં આવ્યા હતા

    • માથ ૧૩:૫૧-૫૪—ઈસુ સાથે મોટા થયેલા લોકોને સમજાતું નથી કે તે કઈ રીતે આટલા બુદ્ધિશાળી છે

કઈ રીતે ખબર પડે કે આપણામાં ઈશ્વર પાસેથી મળતી બુદ્ધિ છે?

બુદ્ધિ કઈ રીતે આપણને માર્ગદર્શન આપે છે અને આપણું રક્ષણ કરે છે?

ઈશ્વર પાસેથી મળતી બુદ્ધિ કેટલી કીમતી છે?

ની ૩:૧૩, ૧૪; ૮:૧૧

આ પણ જુઓ: અયૂ ૨૮:૧૮

  • એને લગતા અહેવાલ:

    • અયૂ ૨૮:૧૨, ૧૫-૧૯—અયૂબે કેટકેટલાં દુઃખો સહન કર્યાં, તોપણ તે ઈશ્વર પાસેથી મળતી બુદ્ધિની કદર કરે છે

    • ગી ૧૯:૭-૯—દાઉદ રાજા કહે છે કે ભલે એક વ્યક્તિ નાદાન અથવા બિનઅનુભવી હોય, પણ યહોવાનાં નિયમો અને સૂચનો તેને બુદ્ધિમાન બનાવી શકે છે

ઈશ્વરની કંઈ પડી ન હોય એવા લોકોના વિચારો પ્રમાણે જીવવું કેમ જોખમી છે?