ઈસુને પગલે ચાલવા,
દયાળુ બનો
ઈસુ સંપૂર્ણ હતા, તેમનામાં કોઈ ખામી ન હતી. એટલે, મનુષ્યોએ સહેવી પડતી અનેક તકલીફો, પીડાઓ કે ચિંતાઓ તેમણે ક્યારેય અનુભવી ન હતી. તોપણ, લોકો માટે તેમને ઊંડી લાગણી હતી અને તેઓ માટે પોતાની જાત ઘસી નાખવા તૈયાર હતા. ઘણી વાર તો, જરૂર ન હોય તોપણ તેમણે આગળ આવીને મદદ કરી હતી. હા, દયાથી પ્રેરાઈને તે લોકોને મદદ કરતા. એ વિશે વધારે જાણવા આ પ્રકરણો પર નજર નાખજો: ૩૨, ૩૭, ૫૭, ૯૯.
મળતાવડા થાઓ
નાના હોય કે મોટા, બધા લોકો ઈસુ પાસે જતા જરાય અચકાતા નહિ. ઈસુનો સ્વભાવ જ એવો હતો કે બધા સાથે હળીમળી જતા. તેમણે કદી એવું લાગવા દીધું ન હતું કે પોતે બહુ વ્યસ્ત કે મોટા માણસ છે. ઈસુ દરેક વ્યક્તિમાં દિલથી રસ લેતા. એટલે, ઈસુ સાથે હોય ત્યારે લોકો હળવાશ અનુભવતા. એ વિશે વધારે જાણવા આ પ્રકરણો જુઓ: ૨૫, ૨૭, ૯૫.
પ્રાર્થનામાં લાગુ રહો
ઈસુ પોતાના પિતાને ખંતથી પ્રાર્થના કરતા, એ પણ નિયમિત રીતે. એકાંતમાં અને તેમના શિષ્યો સાથે તે વારંવાર પ્રાર્થના કરતા. તેમણે જમતી વખતે જ નહિ, પણ બીજા ઘણા પ્રસંગોએ પ્રાર્થના કરી હતી. તેમણે પિતા યહોવાનો આભાર માનવા, તેમની સ્તુતિ કરવા અને મોટા મોટા નિર્ણયો લેતા પહેલાં તેમનું માર્ગદર્શન માંગવા પ્રાર્થના કરી હતી. એ દાખલાઓ પર વિચાર કરવા આ પ્રકરણો જુઓ: ૨૪, ૩૪, ૯૧, ૧૨૨, ૧૨૩.
નિ:સ્વાર્થ ભાવના રાખો
માફ કરતા રહો
ઉત્સાહી બનો
ભાખવામાં આવ્યું હતું કે મોટા ભાગના યહુદીઓ ઈસુનો મસીહ તરીકે સ્વીકાર નહિ કરે અને દુશ્મનો તેમને મારી નાખશે. ઈસુએ ચાહ્યું હોત તો લોકોને જરૂર પૂરતી જ મદદ કરી હોત. પણ, તેમણે પૂરા ઉત્સાહથી ખરા ઈશ્વરની ભક્તિ ફેલાવી. લોકો સત્યના સંદેશાને નજરઅંદાજ કરે અથવા સતાવણી કરે ત્યારે, શિષ્યોને ઉત્સાહી રહેવા ઈસુના દાખલામાંથી ઉત્તેજન મળે છે. આ પ્રકરણો જુઓ: ૧૬, ૭૨, ૧૦૩.