બૉક્સ ૯-ઘ
ગુલામી અને શુદ્ધ ભક્તિ વિશે ભવિષ્યવાણીઓ
યહૂદીઓની ગુલામી વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. એમાંની અનેક ભવિષ્યવાણીઓ મોટા પાયે પણ પૂરી થઈ. જ્યારે ખ્રિસ્તી મંડળ મહાન બાબેલોનની ગુલામીમાં હતું, ત્યારે એ પૂરી થઈ. ચાલો અમુક દાખલા જોઈએ.
૧. ચેતવણીઓ |
૨. ગુલામી |
૩. શુદ્ધ ભક્તિ ફરી શરૂ |
|
---|---|---|---|
પહેલી વાર પૂરી થઈ |
ઈ.સ. પૂર્વે ૬૦૭ પહેલાં—યશાયા, યર્મિયા અને હઝકિયેલે યહોવાના લોકોને ચેતવણી આપી, તોપણ તેઓ ઈશ્વર-વિરોધી બન્યા |
ઈ.સ. પૂર્વે ૬૦૭—યરૂશાલેમનો નાશ. યહોવાના લોકોને બાબેલોનની ગુલામીમાં મોકલી દેવામાં આવ્યા |
ઈ.સ. પૂર્વે ૫૩૭થી—કેટલાક વફાદાર યહૂદીઓ યરૂશાલેમ પાછા ફર્યા. તેઓએ ફરીથી મંદિર બાંધ્યું અને યહોવાની ભક્તિ ફરી શરૂ કરી |
મોટા પાયે પૂરી થઈ |
પહેલી સદી—ઈસુ, પાઉલ અને યોહાન મંડળને ચેતવણી આપતા રહ્યા, તોપણ તેઓ ઈશ્વર-વિરોધી બન્યા |
બીજી સદીથી—સાચા ખ્રિસ્તીઓને મહાન બાબેલોનની ગુલામીમાં મોકલી દેવામાં આવ્યા |
ઈ.સ. ૧૯૧૯થી—રાજા ઈસુએ વફાદાર અભિષિક્તોને ગુલામીમાંથી છોડાવ્યા અને યહોવાની ભક્તિ ફરી શરૂ કરી |