હવેથી યહોવાને તમારું જીવન સોંપો
પાઠ ૧૭
હવેથી યહોવાને તમારું જીવન સોંપો
ઈશ્વર વિશે શીખતા રહો. આ રીતે તમને ઈશ્વરનો સ્વભાવ ખૂબ જ ગમવા લાગશે. ઈશ્વરના અને ઈસુના પગલે ચાલવા માટે તમારે શું કરવું જોઈએ? (માથ્થી ૨૮:૧૯) ચાલો આપણે જોઈએ:
ઈશ્વરના નિયમો પાળો. જો તમે યહોવાને ખરેખર પ્યાર કરશો, તો તેમના નિયમો પાળવા તમને અઘરા નહિ લાગે. તેમનું કહ્યું કરીને તમે સુખી થશે.—૧ યોહાન ૫:૩.
તમે જે શીખ્યા એ હવે તમારા જીવનમાં ઉતારો. જો ઘરનો પાયો મજબૂત ન હોય, તો ધરતીકંપ વખતે ઘર પડી ભાંગશે. યહોવાનું શિક્ષણ પાક્કા પાયા જેવું છે. જો તમે એ શિક્ષણ જીવનમાં ન ઉતારો તો તમને જ નુકસાન થશે.—માથ્થી ૭:૨૪-૨૭.
યહોવાને તમારું આખું જીવન સોંપી દો. આજથી, તમે યહોવાને પ્રાર્થનામાં કહો કે તમે હવે પૂરા દિલથી તેમની ભક્તિ કરશો.—યહોવાના ભક્ત બનો. તમે જાહેરમાં બતાવી શકો કે તમે જીવનભર યહોવાની ભક્તિ કરશો. એ કઈ રીતે? એક સાદી વિધિથી, યહોવાના ભક્તો સામે તમને પાણીમાં ડુબકી મરાવીને બહાર લાવવામાં આવે છે. આ રીતે તમે યહોવાના એક સાક્ષી બનો છો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧૬.
યહોવાના સાક્ષી તરીકે જીવો. હવે, તમે જીવનભર તન, મન, ધનથી તેમની જ ભક્તિ કરો.—કોલોસી ૩:૨૩.