ગીતશાસ્ત્ર ૨૦:૧-૯
-
ઈશ્વરના અભિષિક્ત રાજાનો ઉદ્ધાર
-
અમુક લોકો રથો અને ઘોડાઓ પર ભરોસો રાખે છે, ‘પણ અમે યહોવાના નામે પોકારીએ છીએ’ (૭)
-
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૨૦ સંકટના દિવસે યહોવા તમને* જવાબ આપે,યાકૂબના ઈશ્વરનું નામ તમારું રક્ષણ કરે.+
૨ પવિત્ર સ્થાનમાંથી* તે તમને સહાય મોકલે,+સિયોનમાંથી તે તમને ટકાવી રાખે.+
૩ તમારાં બધાં ભેટ-અર્પણો તે યાદ રાખે,તમે ચઢાવેલું અગ્નિ-અર્પણ* તે રાજીખુશીથી સ્વીકારે. (સેલાહ)
૪ તમારા દિલની તમન્ના તે પૂરી કરે,+તમારા બધા ઇરાદાઓ તે પાર પાડે.
૫ ઉદ્ધારનાં તમારાં કામો વિશે અમે આનંદથી પોકારીશું.+
અમે ઈશ્વરના નામનો ઝંડો લહેરાવીશું.+
યહોવા તમારી બધી વિનંતીઓ પૂરી કરે.
૬ હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષિક્તને બચાવે છે.+
તે પોતાના પવિત્ર સ્વર્ગમાંથી તેને જવાબ આપે છે,તે પોતાના શક્તિશાળી જમણા હાથથી તેનો ઉદ્ધાર કરે છે.*+
૭ અમુક લોકો રથો પર ભરોસો રાખે છે, તો અમુક લોકો ઘોડાઓ પર,+પણ અમે તો મદદ માટે અમારા ઈશ્વર યહોવાના નામે પોકારીએ છીએ.+
૮ તેઓ ઠોકર ખાઈને પડી ગયા છે,પણ અમે પાછા ઊઠીને અડગ ઊભા છીએ.+
૯ હે યહોવા, રાજાનો ઉદ્ધાર કરો!+
અમે મદદ માટે પોકારીશું એ દિવસે ઈશ્વર* જરૂર જવાબ આપશે.+