યર્મિયા ૨૧:૧-૧૪
૨૧ રાજા સિદકિયાએ+ માલ્કિયાના દીકરા પાશહૂરને+ અને માઅસેયાના દીકરા સફાન્યા+ યાજકને યર્મિયા પાસે મોકલ્યા ત્યારે, યર્મિયાને યહોવાનો સંદેશો મળ્યો. પાશહૂરે અને સફાન્યાએ યર્મિયાને કહ્યું:
૨ “બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* અમારી સામે ચઢી આવ્યો છે.+ કૃપા કરીને અમારા વતી યહોવાને પૂછો કે અમારું શું થશે. કદાચ યહોવા અમારા માટે શક્તિશાળી કામો કરે અને રાજા પોતાનું સૈન્ય પાછું ખેંચી લે.”+
૩ યર્મિયાએ તેઓને કહ્યું: “રાજા સિદકિયાને જઈને કહો,
૪ ‘ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: “બાબેલોનના રાજા સામે અને તમારા કોટની બહાર ઘેરો નાખનાર ખાલદીઓ* સામે તમે જે હથિયાર ઉપાડ્યાં છે,+ એને હું તમારી જ વિરુદ્ધ વાપરીશ. હું એ બધાને તમારા શહેરની વચ્ચે ભેગા કરીશ.
૫ હું પોતે તમારી સામે લડીશ.+ હું મારો શક્તિશાળી અને બળવાન હાથ ઉગામીશ. હું ગુસ્સે થઈને, ક્રોધે ભરાઈને અને રોષે ચઢીને તમારી સામે લડીશ.+
૬ હું આ શહેરનાં માણસોનો અને જાનવરોનો નાશ કરીશ. તેઓ ભયંકર રોગચાળાથી* માર્યાં જશે.”’+
૭ “‘યહોવા કહે છે, “એ પછી હું યહૂદાના રાજા સિદકિયાને, તેના સેવકોને તેમજ રોગચાળા, તલવાર અને દુકાળથી બચી ગયેલા આ શહેરના લોકોને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* હાથમાં સોંપી દઈશ. હું તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દઈશ અને તેઓનો જીવ લેવા માંગતા લોકોને હવાલે કરી દઈશ.+ નબૂખાદનેસ્સાર તેઓને તલવારે મારી નાખશે. તે કોઈના પર રહેમ નહિ કરે. તે જરાય દયા કે કરુણા નહિ બતાવે.”’+
૮ “તું આ લોકોને કહેજે, ‘યહોવા કહે છે: “હું તમારી આગળ જીવનનો માર્ગ અને મરણનો માર્ગ મૂકું છું.
૯ જેઓ આ શહેરમાં રહેશે તેઓ તલવાર, દુકાળ અને રોગચાળાથી માર્યા જશે. પણ જેઓ બહાર જશે અને ઘેરો નાખનાર ખાલદીઓને શરણે થશે, તેઓ જીવતા રહેશે. તેઓ પોતાનો જીવ બચાવશે.”’*+
૧૦ “‘યહોવા કહે છે: “મેં આ શહેરનું ભલું કરવાનું નહિ, પણ એના પર આફત લાવવાનું નક્કી કર્યું છે.+ હું આ શહેર બાબેલોનના રાજાને સોંપી દઈશ.+ તે એને બાળીને ખાખ કરી દેશે.”+
૧૧ “‘હે યહૂદાના રાજાના ઘરના લોકો, યહોવાનો સંદેશો સાંભળો.
૧૨ દાઉદના રાજવંશને યહોવા કહે છે:
“તમે દરરોજ સાચો ન્યાય કરો,જુલમીના હાથે લૂંટાઈ રહેલા માણસને છોડાવો,+નહિતર તમારાં દુષ્ટ કામોને લીધે+મારો ગુસ્સો આગની જેમ સળગી ઊઠશે+અને એને હોલવનાર કોઈ નહિ હોય.”’
૧૩ યહોવા કહે છે, ‘હે ખીણના* રહેવાસીઓ,હે સપાટ જમીનના ખડક, હું તમારી સામે થયો છું.
તમે કહો છો, “કોની હિંમત કે આપણા પર ચઢી આવે?
કોની તાકાત કે આપણાં ઘરો પર હુમલો કરે?”’
૧૪ પણ યહોવા કહે છે,‘હું તમારી પાસેથી તમારાં કામોનો હિસાબ લઈશ.+
હું તમારા જંગલને આગ લગાવી દઈશ.
એ આગથી આસપાસનું બધું બળીને ખાખ થઈ જશે.’”+
ફૂટનોટ
^ મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
^ અથવા, “બીમારીથી.”
^ મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.
^ મૂળ, “તેઓને લૂંટ તરીકે પોતાનું જીવન મળશે.”
^ અથવા, “નીચાણ પ્રદેશના.”