યર્મિયા ૨૪:૧-૧૦

  • સારાં અને ખરાબ અંજીર (૧-૧૦)

૨૪  બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* યહોયાકીમના દીકરા,+ યહૂદાના રાજા યખોન્યાને* ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો. તેની સાથે યહૂદાના અધિકારીઓને, કારીગરોને અને લુહારોને* પણ લઈ ગયો.+ પછી યહોવાએ મને અંજીર ભરેલી બે ટોપલીઓ બતાવી. એ ટોપલીઓ યહોવાના મંદિર આગળ હતી. ૨  એક ટોપલીમાં સારાં અંજીર હતાં, પહેલી ફસલનાં અંજીર હતાં. બીજી ટોપલીમાં ખરાબ અંજીર હતાં, એટલાં ખરાબ કે ખવાય પણ નહિ. ૩  યહોવાએ મને પૂછ્યું: “યર્મિયા, તને શું દેખાય છે?” મેં કહ્યું: “અંજીર. જે અંજીર સારાં છે, એ ખૂબ સારાં છે. પણ જે ખરાબ છે, એ ખૂબ ખરાબ છે. એટલાં ખરાબ કે ખવાય પણ નહિ.”+ ૪  પછી યહોવાએ મને આ સંદેશો આપ્યો: ૫  “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘યહૂદાના જે લોકોને મેં આ જગ્યાએથી ખાલદીઓના દેશમાં ગુલામ બનાવીને મોકલ્યા છે, તેઓ સારાં અંજીર જેવા છે. હું તેઓનું ભલું કરીશ. ૬  તેઓનું સારું કરવા હું મારી નજર તેઓ પર રાખીશ. હું તેઓને આ દેશમાં પાછા લાવીશ.+ હું તેઓને બાંધીશ, પણ તોડીશ નહિ. હું તેઓને રોપીશ, પણ ઉખેડીશ નહિ.+ ૭  હું તેઓને એવું હૃદય આપીશ, જે મને ઓળખે. તેઓ જાણશે કે હું યહોવા છું.+ તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ,+ કેમ કે તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.+ ૮  “‘પણ ખવાય નહિ એવા ખરાબ અંજીર વિશે+ યહોવા કહે છે: “યહૂદાનો રાજા સિદકિયા,+ તેના અધિકારીઓ તેમજ યરૂશાલેમના બાકી રહેલા લોકો, એટલે કે જેઓ આ દેશમાં રહે છે અને જેઓ ઇજિપ્તમાં રહે છે, તેઓ ખરાબ અંજીર જેવા છે.+ ૯  હું તેઓ પર આફત લાવીશ અને તેઓના એવા હાલ કરીશ કે એ જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો ધ્રૂજી ઊઠશે.+ જે જગ્યાઓમાં હું તેઓને વિખેરી નાખીશ,+ ત્યાંના લોકો તેઓની નિંદા કરશે, તેઓ વિશે કહેવતો કહેશે, તેઓની મજાક ઉડાવશે અને તેઓને શ્રાપ આપશે.+ ૧૦  જે દેશ મેં તેઓને અને તેઓના બાપદાદાઓને આપ્યો છે, એમાં તેઓનો નાશ થાય ત્યાં સુધી હું તેઓ પર તલવાર,+ દુકાળ અને ભયંકર રોગચાળો* લાવીશ.”’”+

ફૂટનોટ

મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
યહોયાખીન અને કોન્યા પણ કહેવાતો.
અથવા કદાચ, “કોટ બાંધનારાઓને.”
અથવા, “બીમારી.”