યર્મિયા ૪૭:૧-૭
-
પલિસ્તીઓ વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૭)
૪૭ ઇજિપ્તના રાજાએ* ગાઝાને જીતી લીધું એ પહેલાં પલિસ્તીઓ વિશે+ યહોવાનો આ સંદેશો યર્મિયા પ્રબોધકને મળ્યો:
૨ યહોવા કહે છે:
“જો! ઉત્તરથી પાણી આવી રહ્યું છે,એ ધસમસતા પૂરની જેમ ધસી આવશે.
એ પૂર આખા દેશને અને એમાંના સર્વને,શહેરને અને એના રહેવાસીઓને તાણી લઈ જશે.
માણસો રડારોળ કરશે,દેશનો એકેએક રહેવાસી વિલાપ કરશે.
૩ જ્યારે દુશ્મનના બળવાન ઘોડાનો દોડવાનો અવાજ સંભળાશે,યુદ્ધના રથોનો ધમધમાટ સંભળાશે,પૈડાંનો ગડગડાટ સંભળાશે,ત્યારે પિતાઓ પોતાના દીકરાઓ તરફ પાછું વળીને જોશે પણ નહિ,કેમ કે તેઓના હાથ ઢીલા પડી ગયા હશે.
૪ એવો દિવસ આવશે, જ્યારે બધા પલિસ્તીઓનો નાશ થશે,+તૂર+ અને સિદોનના+ બચી ગયેલા દરેક મદદગારનો વિનાશ થશે.
કેમ કે યહોવા પલિસ્તીઓનો,કાફતોર* ટાપુના બચી ગયેલા પલિસ્તીઓનો પણ સંહાર કરશે.+
૫ ગાઝા ટાલિયો થઈ જશે.*
આશ્કલોનને ચૂપ કરી દેવામાં આવશે.+
તેઓની ખીણના* બચી ગયેલા લોકો,તમે ક્યાં સુધી પોતાના શરીર પર કાપા પાડશો?+
૬ ઓ યહોવાની તલવાર!+
તું ક્યારે શાંત થઈશ?
તારી મ્યાનમાં પાછી જા.
આરામ કર અને ચૂપ થઈ જા.
૭ યહોવાએ એને હુકમ આપ્યો છે,તો એ કઈ રીતે ચૂપ રહી શકે?
તેમણે એને આશ્કલોન અને દરિયા કિનારા પર+હુમલો કરવાનો આદેશ આપ્યો છે.”
ફૂટનોટ
^ અથવા, “ફારુને.”
^ એટલે કે, ક્રીત.
^ એટલે કે, તેઓ શોક અને શરમને લીધે પોતાનું માથું મૂંડાવશે.
^ અથવા, “નીચાણ પ્રદેશના.”