યશાયા ૩૧:૧-૯

  • સાચી મદદ ઈશ્વર પાસેથી આવે છે, માણસો પાસેથી નહિ (૧-૯)

    • ઇજિપ્તના ઘોડાઓ ફક્ત હાડ-માંસના ()

૩૧  જેઓ ઇજિપ્ત પાસે મદદ માંગે છે તેઓને અફસોસ!+ તેઓ ઘોડાઓ પર આધાર રાખે છે.+ યુદ્ધના રથો* ઘણા હોવાથી તેઓ એમાં ભરોસો મૂકે છે. યુદ્ધના ઘોડાઓ બળવાન હોવાથી તેઓ એના પર ભરોસો કરે છે. પણ તેઓ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરની મદદ માંગતા નથી,તેઓ યહોવા પાસે પાછા ફરતા નથી.  ૨  પણ તે સમજદાર છે અને તે આફત લાવશે. તે પોતાના શબ્દો પાછા નહિ લે. તે દુષ્ટોનાં ઘર વિરુદ્ધ ઊઠશેઅને ખોટાં કામો કરનારાના સાથીદારો વિરુદ્ધ ઊભા થશે.+  ૩  ઇજિપ્તના લોકો તો મામૂલી માણસો છે, તેઓ ઈશ્વર નથી. તેઓના ઘોડાઓ ફક્ત હાડ-માંસના છે, તેઓ અદૃશ્ય શક્તિ નથી.+ યહોવા પોતાનો હાથ લંબાવશે ત્યારે એમ થશે કેમદદ કરનાર ઠોકર ખાશેઅને મદદ લેનાર નીચે પડશે. તેઓ બધા એકસાથે ખતમ થઈ જશે.  ૪  યહોવાએ મને આમ કહ્યું છે: “જ્યારે સિંહ, જોરાવર સિંહ પોતાના શિકાર પર ઊભો રહીને ઘૂરકે,ત્યારે ભલે ભરવાડોનું ટોળું એની સામે આવે,પણ તેઓના ઘોંઘાટથી એ ગભરાતો નથી,તેઓના હોકારાથી એ પાછો હટતો નથી. એ જ રીતે સૈન્યોના ઈશ્વર યહોવા યુદ્ધ લડવાસિયોન પર્વત પર અને એના ડુંગર પર ઊતરી આવશે.  ૫  તરાપ મારતાં પક્ષીઓની જેમ, સૈન્યોના ઈશ્વર યહોવા ઝડપથી આવીને યરૂશાલેમની રક્ષા કરશે.+ તે એના પક્ષે લડશે અને એને બચાવી લેશે. તે એને છોડાવશે અને ઉગારી લેશે.” ૬  “ઓ ઇઝરાયેલના લોકો, તમે બેશરમ બનીને જેમની સામે બંડ પોકાર્યું છે, તેમની પાસે પાછા આવો.+ ૭  એ દિવસે તમારામાંનો દરેક માણસ સોના-ચાંદીના પોતાના નકામા દેવોનો ત્યાગ કરશે. તમે તમારા હાથે એ દેવો બનાવીને પાપ કર્યું હતું.  ૮  તલવારથી આશ્શૂરીઓનો વિનાશ થશે, પણ માણસની તલવારથી નહિ,તલવાર તેઓને કતલ કરશે, પણ માણસની તલવાર નહિ.+ તેઓ તલવારથી નાસી છૂટશેઅને તેઓના યુવાનો કાળી મજૂરી કરશે.  ૯  તેઓનો ખડક ભયને લીધે નાસી જશે. તેઓના આગેવાનો ધજાને લીધે કાંપી ઊઠશે,” એવું યહોવા કહે છે. તેમનો પ્રકાશ* સિયોનમાં છે અને તેમની ભઠ્ઠી યરૂશાલેમમાં છે.

ફૂટનોટ

અથવા, “ઘોડેસવારો.”
અથવા, “અગ્‍નિ.”