યશાયા ૫૬:૧-૧૨
૫૬ યહોવા આમ કહે છે:
“ઇન્સાફને વળગી રહો+ અને જે સાચું છે એ કરો,કારણ કે હું ઝડપથી ઉદ્ધાર કરીશઅને મારી સચ્ચાઈ જાહેર કરીશ.+
૨ સુખી છે એ માણસ જે એમ કરે છે,સુખી છે માણસનો દીકરો જે એને વળગી રહે છે,જે સાબ્બાથ પાળે છે, એને અશુદ્ધ કરતો નથી,+જે પોતાના હાથે કંઈ ખરાબ કરતો નથી.
૩ જે પરદેશી માણસ યહોવાની ભક્તિ કરે છે,+ તેણે એમ ન કહેવું કે‘યહોવા મને પોતાના લોકોમાંથી ચોક્કસ અલગ કરી નાખશે.’
જે નપુંસક* છે, તેણે એમ ન કહેવું કે ‘હું તો સુકાઈ ગયેલું ઝાડ છું.’”
૪ યહોવા કહે છે કે “જે નપુંસકો મારા સાબ્બાથો પાળે છે, મારી ઇચ્છા પૂરી કરવાનું પસંદ કરે છે અને મારા કરારને વળગી રહે છે,
૫ તેઓને હું મારા ઘરની અને મારી દીવાલોની અંદર જગ્યા* આપીશ અને તેઓનાં નામ યાદ રાખીશ.
એ તેઓ માટે દીકરા-દીકરીઓ કરતાં પણ વધારે સારું ગણાશે.
હું તેઓને કાયમ ટકનારું નામ આપીશ,જે કદી ભૂંસાઈ જશે નહિ.
૬ જે પરદેશીઓ યહોવાની ભક્તિ કરે છે, તેમની સેવા કરે છે,જેઓ યહોવાના નામ પર પ્રેમ રાખે છે+અને તેમના ભક્તો બને છે,જેઓ સાબ્બાથ પાળે છે, એને અશુદ્ધ કરતા નથી,જેઓ મારા કરારને વળગી રહે છે,
૭ તેઓને હું મારા પવિત્ર પર્વત પર લાવીશ.+
તેઓને મારા પ્રાર્થનાઘરમાં આનંદથી ભરપૂર કરીશ.
તેઓએ મારી વેદી પર ચઢાવેલાં અગ્નિ-અર્પણો અને બલિદાનોનો હું સ્વીકાર કરીશ.
મારું ઘર બધા માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.”+
૮ ઇઝરાયેલના વિખેરાઈ ગયેલા લોકોને ભેગા કરનાર,+ વિશ્વના માલિક યહોવા જાહેર કરે છે:
“ભેગા થયેલા લોકોની સાથે સાથે હું બીજા લોકોને પણ ભેગા કરીશ.”+
૯ ઓ જંગલી જાનવરો,ઓ જંગલનાં ખૂંખાર જાનવરો, તમે બધા ખાવા માટે આવો.+
૧૦ ચોકીદારો આંધળા છે,+ તેઓમાંનો એકેય સાવધ નથી.+
તેઓ મૂંગા કૂતરા છે, જેઓ ભસી શકતા નથી.+
તેઓ લાંબા થઈને સૂએ છે અને હાંફે છે. તેઓ ઊંઘણશી છે.
૧૧ તેઓ ખાઉધરા કૂતરા છે.
તેઓ કદી ધરાતા નથી.
તેઓ એવા ઘેટાંપાળકો છે, જેઓને કોઈ સમજ નથી.+
તેઓ બધા મન ફાવે એમ કરે છે.
તેઓમાંનો દરેક બેઈમાન બનીને પોતાનો ફાયદો જુએ છે અને કહે છે:
૧૨ “આવો, હું શરાબ લાવું,ચાલો આપણે ચિક્કાર પીએ.+
આવતી કાલ પણ આજના જેવી હશે, અરે હજુ વધારે જામશે!”