યશાયા ૫૬:૧-૧૨

  • પરદેશીઓ અને નપુંસકો પર આશીર્વાદો (૧-૮)

    • બધા માટે પ્રાર્થનાનું ઘર ()

  • આંધળા ચોકીદારો, મૂંગા કૂતરા (૯-૧૨)

૫૬  યહોવા આમ કહે છે: “ઇન્સાફને વળગી રહો+ અને જે સાચું છે એ કરો,કારણ કે હું ઝડપથી ઉદ્ધાર કરીશઅને મારી સચ્ચાઈ જાહેર કરીશ.+  ૨  સુખી છે એ માણસ જે એમ કરે છે,સુખી છે માણસનો દીકરો જે એને વળગી રહે છે,જે સાબ્બાથ પાળે છે, એને અશુદ્ધ કરતો નથી,+જે પોતાના હાથે કંઈ ખરાબ કરતો નથી.  ૩  જે પરદેશી માણસ યહોવાની ભક્તિ કરે છે,+ તેણે એમ ન કહેવું કે‘યહોવા મને પોતાના લોકોમાંથી ચોક્કસ અલગ કરી નાખશે.’ જે નપુંસક* છે, તેણે એમ ન કહેવું કે ‘હું તો સુકાઈ ગયેલું ઝાડ છું.’” ૪  યહોવા કહે છે કે “જે નપુંસકો મારા સાબ્બાથો પાળે છે, મારી ઇચ્છા પૂરી કરવાનું પસંદ કરે છે અને મારા કરારને વળગી રહે છે,  ૫  તેઓને હું મારા ઘરની અને મારી દીવાલોની અંદર જગ્યા* આપીશ અને તેઓનાં નામ યાદ રાખીશ. એ તેઓ માટે દીકરા-દીકરીઓ કરતાં પણ વધારે સારું ગણાશે. હું તેઓને કાયમ ટકનારું નામ આપીશ,જે કદી ભૂંસાઈ જશે નહિ.  ૬  જે પરદેશીઓ યહોવાની ભક્તિ કરે છે, તેમની સેવા કરે છે,જેઓ યહોવાના નામ પર પ્રેમ રાખે છે+અને તેમના ભક્તો બને છે,જેઓ સાબ્બાથ પાળે છે, એને અશુદ્ધ કરતા નથી,જેઓ મારા કરારને વળગી રહે છે,  ૭  તેઓને હું મારા પવિત્ર પર્વત પર લાવીશ.+ તેઓને મારા પ્રાર્થનાઘરમાં આનંદથી ભરપૂર કરીશ. તેઓએ મારી વેદી પર ચઢાવેલાં અગ્‍નિ-અર્પણો અને બલિદાનોનો હું સ્વીકાર કરીશ. મારું ઘર બધા માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.”+ ૮  ઇઝરાયેલના વિખેરાઈ ગયેલા લોકોને ભેગા કરનાર,+ વિશ્વના માલિક યહોવા જાહેર કરે છે: “ભેગા થયેલા લોકોની સાથે સાથે હું બીજા લોકોને પણ ભેગા કરીશ.”+  ૯  ઓ જંગલી જાનવરો,ઓ જંગલનાં ખૂંખાર જાનવરો, તમે બધા ખાવા માટે આવો.+ ૧૦  ચોકીદારો આંધળા છે,+ તેઓમાંનો એકેય સાવધ નથી.+ તેઓ મૂંગા કૂતરા છે, જેઓ ભસી શકતા નથી.+ તેઓ લાંબા થઈને સૂએ છે અને હાંફે છે. તેઓ ઊંઘણશી છે. ૧૧  તેઓ ખાઉધરા કૂતરા છે. તેઓ કદી ધરાતા નથી. તેઓ એવા ઘેટાંપાળકો છે, જેઓને કોઈ સમજ નથી.+ તેઓ બધા મન ફાવે એમ કરે છે. તેઓમાંનો દરેક બેઈમાન બનીને પોતાનો ફાયદો જુએ છે અને કહે છે: ૧૨  “આવો, હું શરાબ લાવું,ચાલો આપણે ચિક્કાર પીએ.+ આવતી કાલ પણ આજના જેવી હશે, અરે હજુ વધારે જામશે!”

ફૂટનોટ

અથવા, “સ્મારક.”