સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુશ્કેલીનો કાયમી ઉકેલ

ઈશ્વરના રાજમાં ‘પુષ્કળ શાંતિ હશે’

ઈશ્વરના રાજમાં ‘પુષ્કળ શાંતિ હશે’

ઈશ્વરનું રાજ્ય બહુ જલદી પૃથ્વી પર શાંતિ-સલામતી લાવશે. એ રાજની આપણે કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ. ગીતશાસ્ત્ર ૭૨:૭માં ઈશ્વરે વચન આપ્યું છે કે, તે પૃથ્વી પર ‘શાંતિ લાવશે.’ પૃથ્વી પર ઈશ્વરનું રાજ ક્યારે આવશે? એ કઈ રીતે શાંતિ-સલામતી લાવશે? એનાથી આપણને કેવા ફાયદા થશે?

પૃથ્વી પર ઈશ્વરનું રાજ ક્યારે આવશે?

બાઇબલમાં અગાઉથી કેટલાક મહત્ત્વના બનાવો વિશે જણાવવામાં આવ્યું છે. એ બનાવોથી ખબર પડશે કે ઈશ્વરનું રાજ પાસે છે. દુનિયાભરમાં મોટા મોટા યુદ્ધો, દુકાળો, બીમારીઓ, ધરતીકંપો થશે અને અન્યાય વધશે. એ બધા બનાવો અંતના સમયની “નિશાની” છે.—માથ્થી ૨૪:૩, ૭, ૧૨; લુક ૨૧:૧૧; પ્રકટીકરણ ૬:૨-૮.

બીજી એક ભવિષ્યવાણી કહે છે: ‘છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે. કેમ કે લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી, માબાપની આજ્ઞા ન પાળનારા, આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, પ્રેમભાવ વગરના, જિદ્દી, બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, અભિમાનથી ફૂલાઈ જનારા, ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા હશે.’ (૨ તિમોથી ૩:૧-૪) એવું નથી કે પહેલાં એવા લોકો ન હતા. પણ આજે જ્યાં જુઓ ત્યાં એવા લોકો જોવા મળે છે.

સાલ ૧૯૧૪થી એ ભવિષ્યવાણી પૂરી થવા લાગી. ઇતિહાસકારો, રાજકારણીઓ અને લેખકોએ પણ જણાવ્યું હતું કે એ વર્ષ પછી દુનિયામાં ઘણા ફેરફારો થવા લાગ્યા છે. દાખલા તરીકે, ડૅનિશ ઇતિહાસકાર પીટરે લખ્યું: ‘૧૯૧૪ના યુદ્ધથી માણસજાતનો ઇતિહાસ બદલાઈ ગયો. ૧૯૧૪ પહેલાં લોકોને લાગતું હતું કે દુનિયા પ્રગતિના પંથે છે. પણ મનુષ્યો તો એવા યુગમાં પ્રવેશ્યા છે, જ્યાં ઠેર ઠેર આફતો જોવા મળે છે. લોકોમાં ડર અને નફરતની લાગણીઓ ઘર કરી ગઈ છે. સલામતી જેવું કંઈ રહ્યું નથી.’

જેમ સમુદ્રમાં તોફાન આવ્યા પછી નીરવ શાંતિ છવાઈ જાય છે, તેમ ખરાબ બાબતો પછી શાંતિનો યુગ આવશે. એ બનાવોથી સાફ દેખાય આવે છે કે આ પૃથ્વી પર જલદી જ ઈશ્વરનું રાજ હશે. ઈસુએ દુનિયાના અંત વિશે જણાવ્યું હતું. “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.”—માથ્થી ૨૪:૧૪.

યહોવાના સાક્ષીઓ એ ખુશખબર જણાવે છે. તેઓના જાણીતા મૅગેઝિનનું નામ છે, ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે. હવે એ ૩૩૮થી વધારે ભાષાઓમાં પ્રાપ્ય છે. મનુષ્યો અને પૃથ્વી માટે ઈશ્વરનું રાજ્ય સારી બાબતો લાવવાનું છે. આ મૅગેઝિનમાં એ વિશે જણાવવામાં આવે છે.

ઈશ્વરનું રાજ્ય કેવાં પગલાં ભરશે?

એ વિશે ચાર હકીકતો તપાસીએ:

  1. એ રાજ્ય દુનિયાના કોઈ પણ નેતાઓનો ઉપયોગ કરશે નહિ.

  2. પોતાની સત્તા છીનવાઈ ન જાય માટે દુનિયાના નેતાઓ ઈશ્વરના રાજ્ય સામે લડશે. એ કેવી મૂર્ખામી કહેવાય!—ગીતશાસ્ત્ર ૨:૨-૯.

  3. આજની સરકારો માણસો પર હુકમ ચલાવે છે. પણ ઈશ્વરનું રાજ્ય એ બધી સરકારોનું નામનિશાન મિટાવી દેશે. (દાનીયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૧૯:૧૭-૨૧) ત્યારે જે યુદ્ધ થશે એને આર્માગેદન નામ આપવામાં આવ્યું છે.—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.

  4. જેઓ ઈશ્વરના રાજને ટેકો આપશે, તેઓ એ યુદ્ધમાંથી બચી જશે. તેઓને નવી દુનિયામાં રહેવા મળશે, જ્યાં શાંતિનો માહોલ હશે. એવા લોકોને બાઇબલ “મોટું ટોળું” કહે છે, જેઓની સંખ્યા લાખો કરોડોમાં હશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૩, ૧૪.

ઈશ્વરના રાજમાં કેવા આશીર્વાદો મળશે?

જો તમે ઈશ્વરના રાજમાં રહેવા માંગતા હો, તો પહેલું પગલું છે કે એ વિશે વધારે જાણવું જોઈએ. ઈસુએ ઈશ્વરને પ્રાર્થનામાં કહ્યું હતું: “હંમેશ માટેનું જીવન એ છે કે તેઓ તમને, એકલા ખરા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

લોકો યહોવા ઈશ્વરને નજીકથી ઓળખે છે ત્યારે, તેઓને ઘણા ફાયદા થાય છે. એમાંના બે ફાયદા વિશે જોઈએ. પહેલો, તેઓ ઈશ્વરમાં મજબૂત શ્રદ્ધા કેળવી શકે છે. તેઓ પુરાવાને આધારે શ્રદ્ધા રાખે છે. એનાથી તેઓને ખાતરી મળે છે કે ઈશ્વરનું રાજ કોઈ સપનું નથી પણ એક હકીકત છે. તેઓને એવી ખાતરી પણ મળે છે કે ઈશ્વરનું રાજ્ય બહુ જલદી જ પૃથ્વી પર રાજ કરશે. (હિબ્રૂઓ ૧૧:૧) બીજો ફાયદો, ઈશ્વર અને લોકો માટેનો તેઓનો પ્રેમ વધે છે. ઈશ્વરને પ્રેમ કરતા હોવાથી તેમની આજ્ઞાઓ પાળવા તેઓ દિલથી પ્રેરાય છે. પડોશીઓને પ્રેમ કરતા હોવાથી તેઓ ઈસુની આજ્ઞા પાળવા પ્રેરાય છે. એ આજ્ઞાને સોનેરી નિયમ પણ કહેવામાં આવે છે. એ આજ્ઞા હતી: “જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.”—લુક ૬:૩૧.

એક પ્રેમાળ પિતાની જેમ, સર્જનહાર ચાહે છે કે આપણને સૌથી સારી બાબતો મળે. બાઇબલમાં “ખરા જીવન” વિશે લખવામાં આવ્યું છે. સર્જનહાર ચાહે છે કે આપણને એ જીવન મળે. (૧ તિમોથી ૬:૧૯) આજે કરોડો લોકો જીવન જીવવા સંઘર્ષ કરે છે. તેઓ રોજીરોટી મેળવવા દિવસ રાત એક કરે છે. આજના જીવનને ‘ખરું જીવન’ કહી શકાય નહિ. ‘ખરા જીવનની’ ઝલક મેળવવા ચાલો જોઈએ કે ઈશ્વરના રાજમાં કેવી સુંદર બાબતો હશે.

ઈશ્વરના રાજમાં લોકો શાંતિ-સલામતીથી રહેશે અને તેઓ ભરપૂર ખોરાકની મજા માણશે

^ ઓનલાઇન બાઇબલ વાંચવા www.pr418.com/gu પર જાઓ.