સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લાખો જઈ રહ્યા છે શું તમે જશો?

લાખો જઈ રહ્યા છે શું તમે જશો?

લાખો જઈ રહ્યા છે શું તમે જશો?

લાખો લોકો ક્યાં જઈ રહ્યા છે? ઈસુ ખ્રિસ્તના મરણની વાર્ષિક ઉજવણીમાં જઈ રહ્યા છે. વર્ષ ૨૦૦૦માં એ ઉજવણી માટે આખી દુનિયામાં ૧,૪૮,૭૨,૦૮૬ લોકો ભેગા થયા હતા.

શા માટે લોકો એમાં જાય છે? એનું કારણ એ છે કે મનુષ્યો માટે ખ્રિસ્તના મરણનો મહત્ત્વનો અર્થ રહેલો છે. એટલે કે જલદી જ બીમારી, દુઃખ અને મરણથી મનુષ્યોને છુટકારો મળશે. અરે, મરણ પામેલાં પ્રિયજનોને પણ સુંદર, સુખ-શાંતિવાળી પૃથ્વી પર સજીવન કરવામાં આવશે.

ઈસુનું મરણ કઈ રીતે આવા આશીર્વાદો લાવી શકે? કેમ નહિ કે તમે પોતે જ એ શોધી કાઢો. યહોવાહના સાક્ષીઓ એ મહત્ત્વના પ્રસંગે હાજર રહેવા તમને આમંત્રણ આપે છે.

તમારા ઘરની નજીકના રાજ્યગૃહમાં એ ઉજવણી માટે ભેગા મળો. આ વર્ષે રવિવાર, એપ્રિલ ૮ના રોજ, સૂર્યાસ્ત બાદ એ માટે ભેગા થવાનું છે. તમારી આસપાસના યહોવાહના સાક્ષીઓને મળીને ચોક્કસ સમય જાણી લો. (g01 3/22)