ઈશ્વરના વચનો વિષે શીખો!
ઈશ્વરના વચનો વિષે શીખો!
વર્શિપ ધી ઓન્લી ટ્રુ ગોડ પુસ્તકમાંથી ઈશ્વરના વચનો વિષે શીખવા મળે છે. એ જણાવે છે કે બાઇબલના સારા સંસ્કાર અને ગુણોને આપણે કેવી રીતે જીવનમાં અમલમાં મૂકી શકીએ. પશ્ચિમ આફ્રિકાના નાઇજીરિયા દેશના એક બાઇબલ શિક્ષક જણાવે છે: “મને આ પુસ્તકના દરેક પ્રકરણમાં આપેલા પ્રશ્નો બહુ જ પસંદ આવ્યા, કારણ કે એનાથી વાચકને પોતે જે વાંચ્યું હોય એના પર વિચાર કરવા મદદ મળે છે.”
વર્ષોથી બાઇબલ શીખવતા બીજા એક બાઇબલ શિક્ષક જણાવે છે: “આ પુસ્તક એકદમ સહેલું છે અને એમાંથી બીજાને શીખવવામાં ઘણો આનંદ મળે છે.”
આ પુસ્તકના પ્રકરણ જોઈને તમને પણ એવું જ લાગશે. એમાં આવા જુદા જુદા વિષયો પર જાણકારી આપી છે: ‘ઈશ્વર કેમ દુઃખો આવવા દે છે?,’ ‘શું મૂએલાઓ પાછા જીવશે?’ ‘ઈશ્વરના માર્ગદર્શનમાં ચાલો.’ જો તમને આ ૧૯૨ પાનના પુસ્તક વિષે વધુ માહિતી જોઈતી હોય તો, નીચે આપેલી કુપન ભરીને આ મૅગેઝિનના પાન ૫ પર આપેલા કોઈ પણ નજીકના સરનામે લખો. (g04 4/8)
□ મને વર્શિપ ધી ઓન્લી ટ્રુ ગોડ પુસ્તક વિષે વધુ માહિતી જોઈએ છે.
□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે.
[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Cover of book: U.S. Navy photo