સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રમાણિક રહેવાની કેટલી કિંમત?

પ્રમાણિક રહેવાની કેટલી કિંમત?

પ્રમાણિક રહેવાની કેટલી કિંમત?

બ્રાઝિલના એક છાપામાં મોટા અક્ષરોમાં નવાઈ પમાડતું મથાળું જોવા મળ્યું: “સરકારને ૨૦,૦૦૦ રેઆલ લેવાનો હુકમ કરવામાં આવ્યો.” એ છાપામાં લૂઍઝ આલ્વો ડૅ આરૅઝું વિષે અહેવાલ હતો. તે ત્યાંના એક ટપાલી છે, જેમણે સરકારને પોતાની જમીન વેચી હતી. સરકારને એ વેચી દીધા પછી લૂઍઝને ખબર પડી કે એની જે કિંમત હતી, એના કરતાં પણ તેને ૨૦,૦૦૦ રેઆલ (એટલે લગભગ અમેરિકાના ૮,૦૦૦ ડૉલર) વધારે ચુકવવામાં આવ્યા છે!

એ વધારાની રકમ પાછી આપવી કંઈ રમત વાત ન હતી. સરકારની ઑફિસમાં વારંવાર ધક્કા ખાધા પછી, લૂઍઝને સલાહ આપવામાં આવી કે વકીલ રાખીને બાબત થાળે પાડે. સરકારને પૈસા લેવાનો અને કોર્ટનો ખર્ચો ભરપાઈ કરવાનો હુકમ કરનાર ન્યાયાધીશે કહ્યું: “હકીકતમાં કોઈએ ભૂલ કરી હતી. તેમ જ સરકારના અટપટા નિયમો હોવાથી, એ કોઈને ખબર ન હતી કે કેવી રીતે બાબતો થાળે પાડવી. આવો કેસ તો મેં પહેલી વાર જોયો છે.”

લૂઍઝ એક યહોવાહનો સાક્ષી છે. તે સમજાવે છે: “હું બાઇબલમાંથી એવું શીખ્યો છું કે મારા હક્કનું ન હોય એ રાખવું ન જોઈએ. તેથી, એ પૈસા પાછા આપવાની મારી ફરજ હતી.”

ઘણા લોકોને એવા વલણથી નવાઈ લાગે કે એ સમજવું પણ અઘરું લાગે છે. પરંતુ, બાઇબલ બતાવે છે કે દુન્યવી અધિકારીઓ સાથે સાચા ખ્રિસ્તીઓ લેવડદેવડ કરે ત્યારે, શુદ્ધ અંતઃકરણ રાખવું તેઓ માટે બહુ જ મહત્ત્વનું છે. (રૂમી ૧૩:૫) યહોવાહના સાક્ષીઓ પોતાનું ‘અંતઃકરણ નિર્મળ રાખવા અને સઘળી બાબતોમાં પ્રામાણિક રહેવા’ સખત મહેનત કરે છે.​—હેબ્રી ૧૩:૧૮.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોક્સાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી અથવા બાઇબલ વિષે વધુ જાણવું હોય તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.