સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘પરમેશ્વર હાથે બાંધેલાં મંદિરોમાં રહેતા નથી’

‘પરમેશ્વર હાથે બાંધેલાં મંદિરોમાં રહેતા નથી’

‘પરમેશ્વર હાથે બાંધેલાં મંદિરોમાં રહેતા નથી’

પ્રેષિત પાઊલે ઘણી મુસાફરી કરી હતી. તે જે જે શહેરોમાં ગયા ત્યાં બધે જ તેમણે એથેનાના મંદિરો જોયાં. તેથી, તે આ મંદિરો વિષે ઘણું જાણતા હતા. ધી એન્સાયક્લોપીડિયા બ્રિટાનીકા પ્રમાણે, એથેના ફક્ત યુદ્ધ અને જ્ઞાનની જ દેવી ન હતી. પણ તે “કલા-કારીગરી અને ધંધા-રોજગારની” પણ દેવી હતી.

એથેન્સ શહેરનું નામ, આ એથેના દેવીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ શહેરમાં એથેના દેવીનું સૌથી પ્રખ્યાત પાર્થેનોન નામનું મંદિર બાંધવામાં આવ્યું હતું. એ જમાનાનું આ સૌથી મોટું મંદિર ગણાતું હતું. પાર્થેનોનમાં, સોના અને હાથીદાંતની ૧૨ મીટર ઊંચી એથેનાની મૂર્તિ મૂકેલી હતી. પાઊલે એથેન્સની મુલાકાત લીધી ત્યારે તે જોઈ શક્યા કે, આ આરસનું મંદિર કંઈક પ૦૦ વર્ષથી આ શહેરમાં જાણીતું હતું.

તેથી આ પાર્થેનોન મંદિરનું ઉદાહરણ લઈને, પાઊલે એથેન્સના લોકોને જણાવ્યું કે ઈશ્વર હાથે બાંધેલા મંદિરમાં રહેતા નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૩, ૨૪) જોકે, લોકોના મન પર તો ફક્ત એથેના દેવી જ રાજ કરતી હતી. તેથી, તેઓના મનમાં આ ભવ્ય મંદિર અને મૂર્તિનો એટલો પ્રભાવ હતો કે, ખરા અદૃશ્ય ઈશ્વર વિષે જાણવાની તેઓને જરાય પડી ન હતી. પરંતુ, પાઊલે જણાવ્યું તેમ, આપણે એમ ન ધારવું જોઈએ કે આપણા સરજનહાર પરમેશ્વર ‘માણસોની કારીગરીથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના જેવા છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૯.

એથેના જેવા દેવ-દેવીઓના મંદિર અને એનો પ્રભાવ મૂર્તિ સુધી જ રહ્યો છે. તેઓ તો આજે છે અને કાલે નથી. પાર્થેનોનમાંથી એથેનાની મૂર્તિ ઈસવીસન પાંચમી સદીમાં ગાયબ થઈ ગઈ. હવે તો ફક્ત ભાગ્યું-તૂટયું મંદિર જ રહ્યું છે. અત્યારે તો એથેના કોણ હતી એ કોને યાદ છે?

પરંતુ, યહોવાહ તો એકદમ અલગ જ દેવ છે. તે તો “સનાતન” પરમેશ્વર છે જેમને કદી કોઈએ જોયા નથી. (રૂમીઓને પત્ર ૧૬:૨૬, પ્રેમસંદેશ; ૧ યોહાન ૪:૧૨) કોરાહના દીકરાઓએ યહોવાહ માટે લખ્યું: ‘આ દેવ આપણો સનાતન દેવ છે; તે આપણો દોરનાર થશે.’ (ગીતશાસ્ત્ર ૪૮:૧૪) તેથી, જો આપણને યહોવાહનું માર્ગદર્શન જોઈતું હોય, તો આજે જ બાઇબલમાંથી શીખીએ અને એની સલાહ પ્રમાણે જીવીએ.