સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવા વર્ષનું ઝાડ રશિયાનો રિવાજ કે ખ્રિસ્તી રિવાજ?

નવા વર્ષનું ઝાડ રશિયાનો રિવાજ કે ખ્રિસ્તી રિવાજ?

નવા વર્ષનું ઝાડ રશિયાનો રિવાજ કે ખ્રિસ્તી રિવાજ?

છે  ક ૧૮૩૦નાં વર્ષો સુધી, એ લીલા ઝાડને “જર્મનીની લોભામણી માન્યતા” કહેવામાં આવતું. એના દસેક વર્ષમાં જ એ લીલું ઝાડ સેન્ટ પીટર્સબર્ગનાં મોટાં ઘરોનો “રિવાજ બની” ગયું. . . . ફક્ત પાદરીઓનાં ઘરોમાં અને ખેડૂતોની ઝૂંપડીઓમાં જ એ લીલા ઝાડે ૧૯મી સદીમાં પગપેસારો કર્યો ન હતો. . . .

‘પહેલાં તો એ ઝાડ ખાસ કોઈને ગમતું નહિ. રશિયાના રિવાજો પ્રમાણે, એ ઝાડ મોતની નિશાની હતું. એને “ભટકતા આત્મા” સાથે જોડવામાં આવતું. એ ઝાડને પબ કે દારૂના પીઠાના છાપરે રાખવામાં આવતું. પરંતુ, ૧૯મી સદીમાં લોકોના વિચારોમાં મોટા ફેરફાર આવવા લાગ્યા. લોકોએ લીલા ઝાડના રીત-રિવાજો અને વિદેશી રિવાજો પણ સ્વીકાર્યા. યુરોપ અને અમેરિકાના દેશોમાં ક્રિસમસ સમયે ક્રિસમસનું ઝાડ હોય, એ અહીં પણ લોકો રાખવા લાગ્યા. . . .

‘રશિયામાં એ લીલા ઝાડને ખ્રિસ્તી રિવાજ તરીકે સ્વીકારવામાં મુશ્કેલી પડી. રૂઢિચુસ્ત ચર્ચે ઘણો વિરોધ કર્યો. પાદરીની નજરે તો એ નવી ઊજવણી “શેતાની” હતી, જૂઠા ધર્મમાંથી આવેલો રિવાજ હતો. એને ઈસુના જન્મ સાથે કોઈ જ લેવાદેવા નથી. એમાંય વળી એ રિવાજ તો યુરોપ-અમેરિકાના દેશોનો હતો.’—પ્રોફેસર યેલેના વી. દુશેચ્કીના, સેન્ટ પીટર્સબર્ગ સ્ટેટ યુનિવર્સિટીમાં ફીલોલોજીકલ સાયન્સીસની ડૉક્ટર.

[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Photograph: Nikolai Rakhmanov