સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ગરીબો પર ઈશ્વરની કૃપા છે?

શું ગરીબો પર ઈશ્વરની કૃપા છે?

શું ગરીબો પર ઈશ્વરની કૃપા છે?

ઈશ્વરે તેમની ખાસ પ્રજા ઈસ્રાએલીઓને કહ્યું હતું: “તારી મધ્યે કોઈ દરિદ્રી નહિ હોય.” ઈશ્વરે ગરીબોની સંભાળ રાખવા આવો નિયમ આપ્યો હતો. ગરીબોના માથે કોઈ દેવું હોય તો એ માફ કરી દેવાની પણ ગોઠવણ કરી હતી. (પુનર્નિયમ ૧૫:૧-૪, ૭-૧૦) યહોવાહની આ ગોઠવણ પ્રમાણે ઈસ્રાએલીઓએ કર્યું હોત તો, કોઈ પણ ગરીબ ન હોત. દુઃખની વાત છે કે તેઓએ ઈશ્વરના કહેવા પ્રમાણે ન કર્યું અને આશીર્વાદો ગુમાવ્યા.

એનો અર્થ એ નથી કે ગરીબો પર ઈશ્વરના આશીર્વાદ ઓછા હતા. મોટા ભાગના ઈશ્વરભક્તો તો ગરીબ હતા. દાખલા તરીકે, ઈશ્વરભક્ત આમોસ ઘેટાં ચરાવતા અને અમુક વખતે ખેતરમાં મજુરીકામ કરતા હતા. (આમોસ ૧:૧; ૭:૧૪) એલીયાહનો વિચાર કરીએ. તેમના સમયમાં ઈસ્રાએલમાં દુકાળ પડ્યો હતો. દુકાળમાં ટકી રહેવા તેમણે ગરીબ વિધવા પર આધાર રાખવો પડ્યો. એ વિધવા સ્ત્રી પાસે એક ટંકનું જ ખાવાનું હતું. એમાંથી પણ તેણે એલીયાહને ખાવાનું પૂરું પાડ્યું. એટલે ઈશ્વરના વચન પ્રમાણે, એ વિધવા સ્ત્રીના લોટ અને તેલ ચમત્કારથી ખૂટી ગયા નહિ. ઈશ્વરે તેઓની જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડી. પણ તેઓને અમીર બનાવ્યા નહિ. આ બતાવે છે કે ઈશ્વરની કૃપા ગરીબો પર છે.—૧ રાજાઓ ૧૭:૮-૧૬.

સમય અને સંજોગોને લીધે વ્યક્તિ ગરીબીમાં આવી શકે. જેમ કે, કોઈ ઍક્સિડન્ટ કે બીમારીને લીધે વ્યક્તિ કદાચ થોડા સમય કે હંમેશ માટે નોકરી-ધંધો ગુમાવી શકે. એટલું જ નહિ, કોઈ વિધવા થઈ શકે અને બાળકો અનાથ થઈ શકે.

આવા અઘરા સંજોગોમાં એમ ન માનવું જોઈએ કે ઈશ્વરની કૃપા આપણા પર નથી. એ સમજવા બાઇબલમાંથી નાઓમી અને તેની વહુ રૂથનો દાખલો જોઈએ. તેઓ બંને વિધવા હતી. તેઓનો બીજો કોઈ આશરો ન હતો. પણ યહોવાહે તેમને આશીર્વાદ આપ્યા. તેઓને જીવન-જરૂરી વસ્તુઓ પૂરી પાડવાની જોગવાઈ કરી. આ બતાવે છે કે યહોવાહ મુશ્કેલ સંજોગોમાં પણ વ્યક્તિની કાળજી રાખે છે.—રૂથ ૧:૧-૬; ૨:૨-૧૨; ૪:૧૩-૧૭.

આ અનુભવો પરથી સાફ જોવા મળે છે કે ગરીબો પર ઈશ્વરની કૃપા છે. ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખે છે તેઓ દાઊદ રાજાના આ શબ્દો પર પૂરો ભરોસો રાખી શકે: “હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૫. (w09 9/1)

[પાન ૮ પર ચિત્ર]

નાઓમી અને રૂથ ગરીબ તથા લાચાર હતા ત્યારે યહોવાહે તેઓની કાળજી રાખી