કુંવારા હોવું—એક ભેટ
વર્ષોથી, ઘણાં ભાઈ-બહેનોએ પોતે અનુભવ્યું છે કે કુંવારા રહેવાના અનેક ફાયદાઓ છે. જેમ કે, કુંવારા રહીને તેઓ યહોવાની સેવામાં વધારે સમય આપી શકે છે, અનેક ભાઈ-બહેનોને ઓળખીને મિત્રો બનાવી શકે છે અને યહોવા સાથે પાકો નાતો બાંધી શકે છે.
મનન માટે સવાલ: જો તમે કુંવારા હોવ, તો યહોવાની સેવામાં વધારે કરવા શું કરી શકો?
કુંવારાં ભાઈ-બહેનોને મંડળ કઈ રીતે ઉત્તેજન અને સાથ આપી શકે?