વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: ઈશ્વરે મનુષ્યને કેમ બનાવ્યો?
શાસ્ત્રવચન: ઉત ૧:૨૮
ફરી મુલાકાત માટે સવાલ: મનુષ્યો માટે ઈશ્વરનો મકસદ પૂરો થશે, એવું શાના આધારે કહી શકીએ?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: મનુષ્યો માટે ઈશ્વરનો મકસદ પૂરો થશે, એવું શાના આધારે કહી શકીએ?
શાસ્ત્રવચન: યશા ૫૫:૧૧
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરનો મકસદ પૂરો થશે ત્યારે પૃથ્વી પર જીવન કેવું હશે?
○●○ ફરી મુલાકાત ૨
સવાલ: ઈશ્વરનો મકસદ પૂરો થશે ત્યારે પૃથ્વી પર જીવન કેવું હશે?
શાસ્ત્રવચન: ગી ૩૭:૧૦, ૧૧
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરે આપેલા વચનો પ્રમાણે આશીર્વાદો મેળવવા આપણે શું કરવું જોઈએ?
સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૧૪–એપ્રિલ ૭):
“અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. દુનિયા ફરતે એ પ્રસંગમાં લાખો લોકો આવશે. એ દિવસે ઈસુના મરણને યાદ કરવામાં આવશે.” પછી વ્યક્તિને આમંત્રણ પત્રિકા આપો. “આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે, એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા પણ તમને આમંત્રણ આપીએ છીએ.”
રસ બતાવે તો, ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?