શું તમે ઈશ્વરનો આશીર્વાદ મેળવવા મહેનત કરો છો?
યહોવા પાસેથી આશીર્વાદ મેળવવા આપણે તનતોડ મહેનત કરવી જોઈએ. એ માટે આપણે તેમની સેવાને જીવનમાં પ્રથમ સ્થાને રાખવી જોઈએ. (૧કો ૯:૨૬, ૨૭) મોટી ઉંમરના હોવા છતાં યાકૂબે આશીર્વાદ મેળવવા સ્વર્ગદૂત સાથે કુસ્તી કરી. યહોવાની સેવામાં મળેલી જવાબદારી પૂરી કરવા આપણે પણ એવો જ જોશ બતાવવો જોઈએ. યહોવા પાસેથી આશીર્વાદ મેળવવા આપણે તનતોડ મહેનત કરીએ છીએ, એ કઈ રીતે બતાવી શકીએ?
-
સભાઓની સારી તૈયારી કરીને
-
નિયમિત રીતે ખુશખબર ફેલાવવામાં ભાગ લઈને
-
મંડળના ભાઈ-બહેનોને મદદ કરવા બનતું બધું કરીને
ભલેને આપણા સંજોગો અઘરા હોય, તોપણ મદદ માટે યહોવાને પ્રાર્થના કરીએ અને તેમની સેવામાં જે મહેનત કરીએ છીએ એના પર આશીર્વાદ માંગીએ.
પોતાને પૂછો: “યહોવા પાસેથી આશીર્વાદ મેળવવા હું જીવનના કયા પાસામાં વધુ મહેનત કરી શકું?”