યહોવાના સેવકો તરીકે આપણું જીવન
પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—સ્વાર્થ અને ગુસ્સાને ટાળો
કેમ જરૂરી: ઈસુએ શીખવ્યું કે તેમના શિષ્યો પ્રેમના ગુણથી ઓળખાઈ આવશે. (યોહ ૧૩:૩૪, ૩૫) ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવવા આપણે હંમેશા બીજાઓનો વિચાર કરવાની અને ગુસ્સા પર લગામ રાખવાની જરૂર છે.—૧કો ૧૩:૫.
કઈ રીતે કરશો:
-
કોઈના વાણી-વર્તનથી તમને દુઃખ પહોંચે તો, પહેલા વિચાર કરો કે એ વ્યક્તિએ શા માટે એમ કર્યું. એ પણ વિચારો કે તમે સામે જે કંઈ કરશો એનું કેવું પરિણામ આવશે.—નીતિ ૧૯:૧૧.
-
યાદ રાખો, આપણે બધા ભૂલને પાત્ર છીએ. ઘણી વખત આપણે પોતે એવું કંઈક કહીએ છીએ અથવા કરીએ છીએ, જેના માટે પછીથી આપણને પસ્તાવો થાય છે
-
મતભેદોને જલદી જ થાળે પાડો
“એકબીજા પર પ્રેમ રાખો”—સ્વાર્થ અને ગુસ્સાને ટાળો વીડિયો જુઓ અને નીચેના સવાલોના જવાબ આપો:
-
લેરી કઈ રીતે ટોમની વાત પર ભડકી ઊઠ્યા?
-
થોભીને વિચાર કરવાથી કઈ રીતે ટોમને ગુસ્સો કાબૂમાં રાખવા મદદ મળી?
-
ટોમે શાંતિથી જવાબ આપ્યો એનું કેવું પરિણામ આવ્યું?