સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—સત્યમાં હરખાઓ

પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—સત્યમાં હરખાઓ

કેમ જરૂરી: ઈસુને પગલે ચાલવા આપણે પણ સત્યની સાક્ષી આપવી જોઈએ, ઈશ્વર ભાવિમાં શું કરવાના છે એ લોકોને જણાવવું જોઈએ. (યોહ ૧૮:૩૭) આ દુનિયા જૂઠાણાં અને અન્યાયથી ભરેલી છે. તોપણ આપણે સત્યમાં હરખાવું જોઈએ, સાચું જ બોલવું જોઈએ અને જે સાચું હોય એ જ કરવું જોઈએ.—૧કો ૧૩:૬; ફિલિ ૪:૮.

કઈ રીતે કરશો:

  • મનમાં ગાંઠ વાળીએ કે નિંદા કરનાર વાતો સાંભળીશું નહિ, ફેલાવીશું પણ નહિ.—૧થે ૪:૧૧

  • બીજાઓનું દુઃખ જોઈને ખુશ ન થઈએ

  • બીજાઓનું સારું થાય ત્યારે આપણે ખુશ થઈએ

“એકબીજા પર પ્રેમ રાખો”—સત્યમાં હરખાઓ, અન્યાયમાં નહિ વીડિયો જુઓ અને નીચેના સવાલોના જવાબ આપો:

  • “અન્યાય” વિશે ડૅબી શું જાણીને ખુશ થતી હતી?

  • ઍલિસે કઈ રીતે ડૅબીની વાતને સારા વિચારો તરફ વાળી લીધી?

  • એવી કઈ સારી બાબતો છે જેના વિશે આપણે વાત કરી શકીએ?

અન્યાયમાં નહિ, પણ સત્યમાં હરખાઓ