સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

કુટુંબમાં ખુશી વધારવા તમે શું કરી શકો?

કુટુંબમાં ખુશી વધારવા તમે શું કરી શકો?

યહોવા ચાહે છે કે બધાં કુટુંબો ખુશ રહે. (ગી ૧૨૭:૩-૫; સભા ૯:૯; ૧૧:૯) પણ આ દુનિયાની ચિંતાઓને લીધે અને કુટુંબનું કોઈ સભ્ય ભૂલ કરે ત્યારે, આપણી ખુશી છીનવાઈ શકે છે. કુટુંબમાં ખુશી વધારવા દરેક સભ્ય શું કરી શકે?

પતિ પોતાની પત્નીને માન આપે છે. (૧પિ ૩:૭) તે તેની સાથે સમય વિતાવે છે. તે પત્ની પાસેથી હદ બહારની અપેક્ષા રાખતો નથી. પત્ની પોતાના પતિ અને કુટુંબ માટે જે કરે છે, એની પતિ કદર કરે છે. (કોલ ૩:૧૫) તે બતાવે છે કે તે પત્નીને ખૂબ પ્રેમ કરે છે. તે તેના વખાણ પણ કરે છે.—ની ૩૧:૨૮, ૩૧.

પત્ની પોતાના પતિને અલગ અલગ રીતોએ ટેકો આપે છે. (ની ૩૧:૧૨) તે પતિને આધીન રહે છે અને સાથ-સહકાર આપે છે. (કોલ ૩:૧૮) તે પતિ સાથે પ્રેમથી વાત કરે છે અને તેના વિશે સારું બોલે છે.—ની ૩૧:૨૬.

માબાપ પોતાનાં બાળકો સાથે સમય વિતાવે છે. (પુન ૬:૬, ૭) તેઓ બાળકોને જણાવે છે કે તેઓ બાળકોને પ્રેમ કરે છે. (માથ ૩:૧૭) શિસ્ત આપતી વખતે તેઓ પ્રેમ બતાવે છે અને સમજી-વિચારીને વર્તે છે.—એફે ૬:૪.

બાળકો માબાપને માન આપે છે અને તેઓની વાત માને છે. (ની ૨૩:૨૨) તેઓ માબાપને પોતાની લાગણીઓ અને વિચારો જણાવે છે. માબાપ શિસ્ત આપે ત્યારે એને સ્વીકારે છે અને તેઓનો આદર કરે છે.—ની ૧૯:૨૦.

તમારા કુટુંબમાં આનંદ જાળવી રાખો વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:

કુટુંબમાં આનંદ વધારવા દરેકે શું કર્યું?