આપણા માટે “આ બનાવોનો એક અર્થ રહેલો છે”
પાઊલ “આ બનાવોનો” ઉલ્લેખ કરીને સમજાવતા હતા કે જૂના નિયમકરાર કરતાં નવો નિયમકરાર ચડિયાતો છે. આ નવા કરારની ગોઠવણમાં ઈસુ અને તેમની સાથે રાજ કરતા અભિષિક્તો પ્રેમથી મનુષ્યોની કાળજી રાખશે. ત્યારે સર્વ મનુષ્યો માટે પાપ, બીમારી, ઘડપણ, દુઃખ અને મરણના પંજામાંથી આઝાદ થવાની તક હશે.—યશા ૨૫:૮, ૯.
હાગાર—એક દાસી નિયમકરાર હેઠળ ઇઝરાયેલીઓ. યરૂશાલેમ તેઓનું પાટનગર હતું |
સારાહ—આઝાદ સ્ત્રી સ્વર્ગનું યરૂશાલેમ, યહોવાના સંગઠનનો સ્વર્ગીય ભાગ |
હાગારનાં “બાળકો” નિયમકરારથી યહોવાને આધીન યહુદીઓ. તેઓએ ઈસુની સતાવણી કરી અને તેમનો નકાર કર્યો |
સારાહનાં “બાળકો” ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તો |
નિયમકરારની ગુલામીમાં નિયમશાસ્ત્ર ઇઝરાયેલીઓને યાદ અપાવતું હતું કે તેઓ પાપના દાસ છે |
નવો કરાર આઝાદી આપે છે ઇઝરાયેલીઓ પૂરી રીતે નિયમશાસ્ત્ર પાળી શકતા ન હતા. એ તેઓને યાદ અપાવતું કે તેઓ પાપી છે. ઈસુએ આપેલા બલિદાનમાં શ્રદ્ધા મૂકીને તેઓ પાપની ગુલામીમાંથી આઝાદ થઈ શકતા હતા |