ભારે જુલમ કરનાર ઉત્સાહથી ખુશખબર ફેલાવે છે
શાઊલ જે શીખ્યા, એ તરત જ જીવનમાં લાગુ પાડ્યું. બીજા લોકોમાં એવી હિંમત ન હતી, જ્યારે કે શાઊલ એમ કરતા જરાય અચકાયા નહિ. શા માટે? શાઊલને માણસનો નહિ, પણ ઈશ્વરનો ડર હતો. એટલું જ નહિ, ઈસુએ તેમના પર જે દયા કરી એ માટે તે ખૂબ જ આભારી હતા. તમે જો બાઇબલમાંથી શીખતાં હોવ અને બાપ્તિસ્મા ન લીધું હોય તો? શું તમે શાઊલની જેમ તરત જ યોગ્ય પગલાં ભરશો?