એસ્તેર ઈશ્વરના લોકો વતી બોલ્યાં
ઈશ્વરના લોકો વતી બોલતી વખતે એસ્તેરે જબરજસ્ત શ્રદ્ધા અને હિંમત બતાવી
-
જો કોઈ વ્યક્તિ રાજાના બોલાવ્યા વગર તેમની સમક્ષ જાય, તો તેનું મોત થઈ શકતું હતું. એસ્તેરને ૩૦ દિવસથી રાજાની હજૂરમાં બોલાવવામાં આવ્યાં ન હતાં
-
રાજા અહાશ્વેરોશ (કે શાસ્તા પહેલા) ગરમ મિજાજના હતા. એકવાર તેમણે બીજાઓને ચેતવણી આપવા એક માણસના બે ટુકડા કરવાનો હુકમ આપ્યો. વાશતી રાણીએ તેમની આજ્ઞા ન માની ત્યારે, તેને રાણીની પદવી પરથી દૂર કરી
-
એસ્તરે જણાવવાનું હતું કે, પોતે યહુદી છે. તેમ જ, રાજાને ખાતરી અપાવવાની હતી કે એક વિશ્વાસુ અધિકારીએ તેમને છેતર્યા છે