થોડાકના હાથે ઘણાને જમાડવા
સાલ ૩૨ના પાસ્ખાપર્વના થોડા સમય પહેલાં, ઈસુએ એક ચમત્કાર કર્યો હતો. આ જ એવો ચમત્કાર છે, જે સુવાર્તાનાં ચારેય પુસ્તકોમાં નોંધાયેલો છે.
એ ચમત્કાર દ્વારા ઈસુએ એવી ઢબ શરૂ કરી, જે આજે પણ તે અનુસરે છે.
-
શિષ્યો પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી હતી, છતાં ઈસુએ તેઓને આવેલાં ટોળાંને જમાડવા કહ્યું
-
ઈસુએ રોટલી અને માછલી લઈને પ્રાર્થના કરી, પછી એ શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી
-
સાવ થોડું ખાવાનું હોવા છતાં બધાએ ધરાઈને ખાધું. કેવો ચમત્કાર! થોડાકના હાથે, એટલે શિષ્યો દ્વારા ઈસુએ હજારોને જમાડ્યા
-
ઈસુએ જણાવ્યું હતું કે, છેલ્લા દિવસો દરમિયાન “વખતસર ખાવાનું આપવા,” એટલે કે ઈશ્વરનું શિક્ષણ પૂરું પાડવા તે એક ગોઠવણ કરશે.—માથ ૨૪:૪૫
-
“પોતાના ઘરના”ને ખોરાક પૂરો પાડવા ઈસુએ ૧૯૧૯માં “વિશ્વાસુ અને સમજુ ચાકર” નીમ્યો, જે અભિષિક્ત ભાઈઓથી બનેલો એક નાનો સમૂહ છે
-
ઈસુ આજે આ અભિષિક્ત ભાઈઓના નાના સમૂહનો ઉપયોગ કરે છે; આમ, પહેલી સદીમાં શરૂ કરેલી ઢબને તે અનુસરે છે
હું કઈ રીતે બતાવી શકું કે ઈશ્વરનું શિક્ષણ પૂરું પાડવા ઈસુએ કરેલી ગોઠવણને હું જાણું છું અને એને માન આપું છું?