યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સવાલોનો અસરકારક રીતે ઉપયોગ કરીએ
કેમ મહત્ત્વનું: જો “અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે,” તો સવાલો બાલટી સમાન છે, જે તેના વિચારોને બહાર કાઢી લાવે છે. (નીતિ ૨૦:૫) લોકોના મનમાં રસ જગાડવા સવાલો મદદ કરે છે. સમજી-વિચારીને પૂછેલા સવાલો આપણને વ્યક્તિના મનમાં ડોકિયું કરવા મદદ કરે છે. ઈસુએ સવાલોનો અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો. આપણે કઈ રીતે તેમને અનુસરી શકીએ?
કઈ રીતે કરી શકીએ:
-
વ્યક્તિના મનના વિચારો જાણી શકાય એવા સવાલો પૂછો. ઈસુએ પોતાના શિષ્યોને એવા સવાલો પૂછ્યા, જેનાથી તેઓના વિચારો જાણી શકે. (માથ ૧૬:૧૩-૧૬; be-E ૨૩૮ ¶૩-૫) વ્યક્તિના વિચારો જાણવા તમે કેવા સવાલો પૂછી શકો?
-
વ્યક્તિ યોગ્ય નિર્ણય પર આવી શકે એવા સવાલો પૂછો. પીતરના વિચારો સુધારવા ઈસુએ સવાલો પૂછ્યા અને એના શક્ય જવાબો પણ આપ્યા, જેથી પીતર ખરા નિર્ણય પર આવી શકે. (માથ ૧૭:૨૪-૨૬) વ્યક્તિ યોગ્ય નિર્ણય પર આવે માટે કેવા સવાલો પૂછી શકાય?
-
વખાણ કરો. એક વ્યક્તિએ “સમજદારીથી જવાબ આપ્યો” ત્યારે, ઈસુએ તેના વખાણ કર્યા. (માર્ક ૧૨:૩૪) વ્યક્તિ કોઈ સવાલનો જવાબ આપે ત્યારે, તેમના વખાણ કરવા આપણે શું કહી શકીએ?
ઈસુ જેવાં કામો કરીએ—શીખવીએ વીડિયોનો પહેલો ભાગ બતાવો અને નીચે આપેલા સવાલોના જવાબ આપો:
-
માહિતી સચોટ હોવા છતાં શા માટે શીખવવાની આ રીત યોગ્ય નથી?
-
ફક્ત માહિતી જણાવી દેવી શા માટે પૂરતું નથી?
ઈસુ જેવાં કામો કરીએ—શીખવીએ વીડિયોનો બીજો ભાગ બતાવો અને નીચે આપેલા સવાલોના જવાબ આપો:
-
ભાઈએ કઈ રીતે સવાલોનો અસરકારક ઉપયોગ કર્યો?
-
તેમની શીખવવાની રીતમાંથી આપણને બીજી કઈ બાબતો શીખવા મળે છે?