સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૨-૧૩

ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત

ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત

ઈસુએ ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત આપીને બતાવ્યું કે કઈ રીતે અને ક્યારે તે અભિષિક્તોને આ દુનિયામાંથી એકઠા કરશે, જેની શરૂઆત સાલ ૩૩માં થઈ હતી.

૧૩:૨૪

‘એક માણસે પોતાના ખેતરમાં સારાં બી વાવ્યાં’

  • વાવનાર: ઈસુ ખ્રિસ્ત

  • સારાં બી વાવવામાં આવ્યાં: ઈસુના શિષ્યોને પવિત્ર શક્તિ દ્વારા અભિષિક્ત કરવામાં આવે છે

  • ખેતર: માણસજાતની દુનિયા

૧૩:૨૫

‘રાત્રે બધા સૂતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને ઘઉંમાં કડવા છોડનાં બી વાવી ગયો’

  • દુશ્મન: શેતાન

  • બધા સૂતા હતા: પ્રેરિતોનું મરણ

૧૩:૩૦

“કાપણી સુધી એ બંનેને ઊગવા દો”

  • ઘઉં: અભિષિક્ત ખ્રિસ્તીઓ

  • કડવા છોડ: કહેવાતા ખ્રિસ્તીઓ

“પહેલા કડવા છોડને ભેગા કરો; પછી ઘઉંને મારા કોઠારમાં ભરો”

  • કાપણી કરનારાઓ/મજૂરો: સ્વર્ગદૂતો

  • ભેગા કરવામાં આવેલા કડવા છોડ: કહેવાતા ખ્રિસ્તીઓને સાચા ખ્રિસ્તીઓથી અલગ કરવામાં આવ્યા

  • કોઠારમાં ભરવું: અભિષિક્ત ખ્રિસ્તીઓને એક શુદ્ધ મંડળ તરીકે એકઠા કરવામાં આવ્યા

કાપણીનો સમય શરૂ થયો ત્યારે, સાચા ખ્રિસ્તીઓ કઈ રીતે કહેવાતા ખ્રિસ્તીઓથી અલગ તરી આવ્યા?

આ દૃષ્ટાંત સમજવાથી મને કઈ રીતે લાભ થઈ શકે?