યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સમજી વિચારીને મિત્રો પસંદ કરો
મોઆબમાં ઇઝરાયેલીઓ સાથે જે બન્યું એમાંથી આપણને ચેતવણી મળે છે. (૧કો ૧૦:૬, ૮, ૧૧) મોઆબ દેશની સ્ત્રીઓએ ઇઝરાયેલીઓને વ્યભિચાર કરવા લલચાવ્યા. તેઓએ એ સ્ત્રીઓ સાથે સંબંધો બાંધ્યા અને મૂર્તિપૂજા પણ કરી. આમ તેઓએ યહોવા વિરુદ્ધ ઘોર પાપ કર્યું, એનાથી ખરાબ પરિણામો આવ્યાં. (ગણ ૨૫:૯) આપણી સાથે કામ કરનારા, સાથે ભણનારા, પડોશીઓ, સગાં-વહાલાં અને ઓળખીતાઓ બધા જ કંઈ યહોવાની ભક્તિ નથી કરતા. એવા લોકો સાથે વધારે પડતી સંગત રાખવાથી આપણે પણ ઇઝરાયેલીઓની જેમ મુશ્કેલીમાં મુકાઈ શકીએ.
ઇઝરાયેલીઓનો દાખલો આપણા માટે ચેતવણી—ઝલક વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
ઝિમ્રી અને બીજા પુરુષોએ યામીનને કેવા ખોટા વિચારો જણાવ્યા?
-
ફીનહાસે કઈ રીતે યામીનના વિચારો સુધાર્યા?
-
સાક્ષી ન હોય એવા લોકો સાથે મિત્ર જેવો વહેવાર રાખવો અને તેઓના મિત્ર બનવું, એ બન્નેમાં શું ફરક છે?
-
મંડળમાં પણ આપણે શા માટે સમજી વિચારીને મિત્રો પસંદ કરવા જોઈએ?
-
આપણે સોશિયલ મીડિયા પરના ચેટ ગ્રૂપના લોકોને ઓળખતા ન હોવાથી તેઓ સાથે દોસ્તી કેમ ન કરવી જોઈએ?