સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“દિલની સંભાળ રાખ”

“દિલની સંભાળ રાખ”

યહોવાએ સુલેમાન પાસે લખાવ્યું: “સૌથી વધારે તું તારા દિલની સંભાળ રાખ.” (ની ૪:૨૩) પણ દુઃખની વાત છે કે યહોવાના લોકો, એટલે કે ઇઝરાયેલીઓ “પૂરા દિલથી” તેમના માર્ગે ચાલ્યા નહિ. (૨કા ૬:૧૪) અરે સુલેમાન રાજાનું દિલ પણ યહોવાથી દૂર થઈ ગયું. તેમની પત્નીઓ બીજાં દેવી-દેવતાઓની પૂજા કરતી હતી. એટલે તે પણ તેઓની વાતોમાં આવીને જૂઠી ભક્તિ કરવા લાગ્યા. (૧રા ૧૧:૪) તમે કઈ રીતે દિલની સંભાળ રાખી શકો? તમે જાન્યુઆરી ૨૦૧૯, ચોકીબુરજ પાન ૧૪-૧૯ પર આપેલો અભ્યાસ લેખ જોઈ શકો.

ચોકીબુરજમાંથી બોધપાઠ—તમારાં હૃદયનું રક્ષણ કરો! વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

આ ભાઈ-બહેનો સામે કેવા પડકારો આવ્યા? આ અભ્યાસ લેખથી તેઓને કઈ રીતે દિલની સંભાળ રાખવા મદદ મળી?

  • બ્રેન્ટ અને લોરેન

  • ઉમજાય

  • હેપ્પી લાયોઉ

આ અભ્યાસ લેખથી તમને કઈ રીતે મદદ મળી?