“જે કોઈ તમારામાં મોટો થવા ચાહે તેણે તમારા સેવક બનવું જોઈએ”
ઘમંડી શાસ્ત્રીઓ અને ફરોશીઓ બીજાઓને પ્રભાવિત કરવા ચાહતા અને માન-મોભો મેળવવા તરસ્યા હતા. (માથ ૨૩:૫-૭) પણ, ઈસુ એવા ન હતા. શાસ્ત્ર જણાવે છે કે, “માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને આવ્યો છે.” (માથ ૨૦:૨૮) શું આપણી ભક્તિનો મુખ્ય હેતુ લોકોની વાહવાહ મેળવવાનો છે? પરંતુ, યહોવાની પ્રશંસા મેળવવા ચાહતા હોઈએ તો, ઈસુને પગલે ચાલીશું અને બીજાઓને મદદ કરવા બનતું બધું જ કરીશું. એવાં કામો મોટાભાગે લોકોની નજરમાં આવતા નથી, પણ યહોવા એને જોઈ શકે છે. (માથ ૬:૧-૪) એક નમ્ર સેવક . . .
-
પ્રાર્થનાઘરની સાફસફાઈ અને સંભાળ રાખવામાં ભાગ લેશે
-
વૃદ્ધ અને બીજાં ભાઈ-બહેનોને મદદ કરવા પહેલ કરશે
-
રાજ્યનાં કામોને ટેકો આપવા આર્થિક રીતે મદદ કરશે