સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી”

“પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી”

સાચા ઈશ્વરભક્તો જે કંઈ કરે છે એ પ્રેમના લીધે કરે છે. “પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી.” (૧કો ૧૩:૪, ૬) એટલે આપણે એવા બધા મનોરંજનથી દૂર રહીએ છીએ, જેમાં હિંસા અને ગંદા કામોને ઉત્તેજન આપવામાં આવતું હોય. જ્યારે કોઈની સાથે કંઈ ખોટું થાય, ત્યારે આપણે ખુશ થતા નથી. પછી ભલેને એ વ્યક્તિએ આપણને દુ:ખ પહોંચાડ્યું હોય.​—ની ૧૭:૫.

પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો​—અન્યાયમાં ખુશ થતો નથી વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • શાઉલ અને યોનાથાનના મરણના સમાચાર સાંભળીને દાઉદને કેવું લાગ્યું?

  • શાઉલ અને યોનાથાનની યાદમાં દાઉદે કયું વિલાપગીત રચ્યું?

  • શાઉલના મરણથી દાઉદને કેમ ખુશી ના થઈ?