ઈશ્વરનું રાજ્ય શું કરશે?
શાસ્ત્રમાંથી જવાબ
ઈશ્વરનું રાજ્ય મનુષ્યની બધી જ સરકારોને કાઢી નાખશે અને આખી પૃથ્વી પર રાજ કરશે. (દાનિયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૧૬:૧૪) એ પછી ઈશ્વરનું રાજ્ય . . .
ખરાબ લોકોને કાઢી નાખશે, જેઓ બીજાઓને નુકસાન પહોંચાડે છે. “દુષ્ટોનો પૃથ્વી પરથી નાશ કરવામાં આવશે.”—નીતિવચનો ૨:૨૨.
બધા યુદ્ધોનો અંત લાવશે. ઈશ્વર “આખી પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત લાવે છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૯.
પૃથ્વી પર સમૃદ્ધિ અને સલામતી લાવશે. “તેઓ પોતાના દ્રાક્ષાવેલા નીચે અને પોતાની અંજીરી નીચે બેસશે, તેઓને કોઈ ડરાવશે નહિ.”—મીખાહ ૪:૪.
પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવશે. “વેરાન પ્રદેશ અને સૂકી ભૂમિ આનંદ કરશે. ઉજ્જડ પ્રદેશ ખુશી મનાવશે અને કેસરની જેમ ખીલી ઊઠશે.”—યશાયા ૩૫:૧.
લોકોને ખુશી અને સંતોષ આપનારું કામ આપશે. “પસંદ કરેલા લોકો પોતાની મહેનતનાં ફળનો આનંદ ઉઠાવશે. તેઓ નકામી મહેનત કરશે નહિ.”—યશાયા ૬૫:૨૧-૨૩.
બીમારી કાઢી નાખશે. “‘હું બીમાર છું,’ એવું કોઈ કહેશે નહિ.”—યશાયા ૩૩:૨૪.
લોકોનું ઘડપણ દૂર કરશે. “તેનું [તેઓનું] શરીર બાળકના શરીર કરતાં વધારે તંદુરસ્ત થાય; અને તેનું [તેઓનું] જુવાનીનું જોમ પાછું આવે.”—અયૂબ ૩૩:૨૫.
ગુજરી ગયેલા લોકોને જીવતા કરશે. “જેઓ કબરમાં છે તેઓ બધા તેનો [ઈસુ] અવાજ સાંભળશે અને બહાર નીકળી આવશે.”—યોહાન ૫:૨૮, ૨૯.